રોગચાળાને કારણે લાગુ કરવામાં આવેલા લૉકડાઉનને તબક્કાવાર રીતે હટાવવાની પ્રક્રિયામાં ખૂબ સારા સમાચાર રેલવે તંત્ર તરફથી પ્રાપ્ત થયા છે. લાંબા અંતરની ટ્રેનોમાં ઈ-કેટરિંગ ફરી શરૂ કરવાની તૈયારી ઇન્ડિયન રેલવે કેટરિંગ ઍન્ડ ટૂરિઝમ કૉર્પોરેશન (આઇઆરસીટીસી)એ કરી છે. એ પ્રક્રિયાના પ્રથમ તબક્કામાં આવતા મહિનાથી ૩૦ રેલવે-સ્ટેશનો પર સ્પેશ્યલ ટ્રેનોમાં ઈ-કેટરિંગ સર્વિસ શરૂ કરવામાં આવશે. આ સર્વિસ રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનને કારણે ૨૦૨૦ની ૨૨ માર્ચથી બંધ હતી.
કોરોના પૂર્વેના સમયમાં આઇઆરસીટીસીને રોજ ૨૦,૦૦૦ ફૂડ-ઑર્ડર્સ મળતા હતા. એ ફૅસિલિટી હેઠળ પ્રવાસીઓ ફોન દ્વારા કે ઑનલાઇન તેમની પસંદગીનાં બ્રૅન્ડેડ ફૂડ કે લોકલ સ્પેશ્યલિટીનો ઑર્ડર આપતાં ટ્રેનની સીટ પર નિર્ધારિત સમયે ફૂડ-ડિલિવરી આપવામાં આવે છે. આઇઆરસીટીસીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ‘છેલ્લા કેટલાક મહિનામાં ધીમે-ધીમે ટ્રેનો વધારવામાં આવતાં લોકો જૂની ઈ-કેટરિંગ સર્વિસ ફરી શરૂ કરવાની માગણી કરી રહ્યા હતા. એ માગણીના અનુસંધાનમાં ૩૦ રેલવે-સ્ટેશનો પર ઉપલબ્ધ કરાવવામાં આવનારી સર્વિસ ૨૫૦ ટ્રેનોમાં ઉપલબ્ધ થશે.’
Mumbai: TV એક્ટ્રેસ સાથે અનેકવાર રેપ, ઓશવિરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
6th March, 2021 18:24 ISTWomen's Day:જ્યારે દહેજ દૂષણના વિરોધમાં ડૉ. વિભૂતિ પટેલે છોડ્યું સોનું
6th March, 2021 16:53 ISTમુંબઇમાં છઠ્ઠા માળથી કૂદીને આપ્યો જીવ, જાણો વધુ
6th March, 2021 14:10 ISTખટ્ટર સરકાર પર ઘેરાયાં સંકટનાં વાદળો, ચૌટાલાની શાખ પર સટ્ટો
6th March, 2021 13:06 IST