Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > લૉકડાઉનમાં માર્ચથી જુલાઈ દરમ્યાન દેશની અદાલતોમાં ૧૮ લાખ કેસ ફાઇલ થયા

લૉકડાઉનમાં માર્ચથી જુલાઈ દરમ્યાન દેશની અદાલતોમાં ૧૮ લાખ કેસ ફાઇલ થયા

26 July, 2020 12:20 PM IST | Mumbai Desk
Agencies

લૉકડાઉનમાં માર્ચથી જુલાઈ દરમ્યાન દેશની અદાલતોમાં ૧૮ લાખ કેસ ફાઇલ થયા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કોરોનાને કારણે લૉકડાઉન જાહેર કરાયા પછી માર્ચથી જુલાઈ મહિનાના સમયગાળામાં સમગ્ર ભારતની અદાલતોમાં ૧૮,૦૩,૩૨૭ કેસ ફાઇલ કરવામાં આવ્યા હોવાનું અને એમાંથી ૭,૯૦,૧૧૨ કેસનો નિકાલ કરાયો હોવાનું જાણવા મળ્યું છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ ધનંજય ચંદ્રચૂડે નાશિકના ઈ-ગવર્નન્સ સેન્ટરનું વિડિયો-કૉન્ફરન્સિંગ દ્વારા ઉદ્‍ઘાટન (વર્ચ્યુઅલ ઇનોગ્યુરેશન) કરતી વખતે જણાવ્યું હતું કે એ સમયગાળામાં મહારાષ્ટ્રની જિલ્લા અદાલતોમાં ૨,૨૨,૪૩૧ કેસ ફાઇલ કરાયા હતા અને એમાંથી ૬૧,૯૮૬ કેસનો નિકાલ થયો હતો.
ધનંજય ચંદ્રચૂડે જણાવ્યું હતું કે ‘વિડિયો-કૉન્ફરન્સિંગ દ્વારા અદાલતી કાર્યવાહી એટલે કે વર્ચ્યુઅલ કોર્ટ્સ અસાધારણ સંજોગોમાં શરૂ કરવામાં આવી હતી. એ હંમેશ માટે ચાલુ રાખવામાં નહીં આવે અને અનુકૂળતા થતાં ફિઝિકલ કોર્ટ્સ શરૂ કરવામાં આવશે. જોકે સાર્વજનિક આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતોની સલાહ અનુસાર વર્ચ્યુઅલ કોર્ટ્સને વિદાય આપીને ફિઝિકલ કોર્ટ્સ શરૂ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.’


Whatsapp-channel Whatsapp-channel

26 July, 2020 12:20 PM IST | Mumbai Desk | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK