બાબરી મસ્જિદના વિધ્વંસને ભૂલવાના નથીઃ ઓવૈસી
અયોધ્યામાં રામમંદિર બનાવવા માટે ટ્રસ્ટના નિર્માણની જાહેરાત વચ્ચે વિપક્ષી પાર્ટીઓએ બીજેપી પર આ જાહેરાતના સમયને લઈને હુમલો કર્યો છે.
દરમ્યાન મુસ્લિમ આગેવાન અને એઆઇએમઆઇએમના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું હતું કે બાબરી મસ્જિદ તોડવાની ઘટનાને મુસ્લિમ સમાજ ભૂલ્યો નથી અને અમે અમારી આવનારી પેઢીઓને પણ આ ઘટના નહીં ભૂલવા દઈએ. તેમણે આ સાથે જ બાબરી મસ્જિદના વિધ્વંસ માટે સુપ્રીમ કૉર્ટને જવાબદાર ગણાવી દીધી.