આ યોજના આચારસંહિતાનો ભંગ હોવાની ફરિયાદ બાદ ચૂંટણી પંચે આ વિશે સરકાર પાસે જવાબ માગ્યો છે. સરકારે આ યોજનાને ચૂંટણી આચારસંહિતાનો ભંગ નથી એમ જણાવતાં એની જાહેરાતને યોગ્ય ગણાવી હતી. ગઈ કાલે માહિતી અને પ્રસારણપ્રધાન મનીષ તિવારીએ બીજેપીને સવાલ પૂછ્યો હતો કે એ આ સ્કીમની તરફેણમાં છે કે વિરોધમાં. તિવારીએ કહ્યું હતું કે ‘લોકોના રૂપિયા સીધા તેમના હાથમાં આવે એવું બીજેપી ઇચ્છે છે કે નહીં? જો ચૂંટણી પંચે આ વિશે કોઈ સ્પષ્ટતા માગી હશે તો એ જરૂર આપવામાં આવશે.’
આ તરફ બીજેપીના પ્રવક્તા રવિશંકર પ્રસાદે કૉન્ગ્રેસને વળતો જવાબ આપતાં કહ્યું હતું કે ‘પાર્ટી દ્વારા સમગ્ર યોજનાનો અભ્યાસ કરવા માટે એક કમિટીની રચના કરી છે. આ કમિટીના રિપોર્ટ બાદ પાર્ટી પોતાનું વલણ નક્કી કરશે. બીજેપી જાહેર વિતરણ વ્યવસ્થાને નાબૂદ કરવાની વિરુદ્ધમાં છે. ડાયરેક્ટ કૅશ ટ્રાન્સફર યોજનાનો પાઇલટ પ્રોજેક્ટ કેમ રાજસ્થાનમાં નિષ્ફળ ગયો તેનો સરકારે જવાબ આપવો પડશે.’
'તાંડવ' પર વિવાદ બાદ સૈફ-કરીનાના ઘરે પોલીસ, BJP એમએલએએ નોંધાવી ફરિયાદ
17th January, 2021 19:33 ISTભીવંડીમાં કૉન્ગ્રેસ-શિવસેનાના કાર્યકરો બાખડ્યા: પાંચનાં માથાં ફૂટ્યાં
16th January, 2021 10:35 ISTતૃણમૂલ કૉન્ગ્રેસના સંસદસભ્યે સીતામાતા પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું
12th January, 2021 14:14 ISTમાધવસિંહ સોલંકીને અપાયું ગાર્ડ ઑફ ઓનર, વરીષ્ઠ નેતાની અંતિમ વિદાયમાં લોકો ઉમટ્યા
10th January, 2021 19:18 IST