Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મિડ-ડેના રિપોર્ટનો પડઘો : જોખમી દિંડોશી ફ્લાયઓવરનું ટૂંક સમયમાં રિપેરિંગ

મિડ-ડેના રિપોર્ટનો પડઘો : જોખમી દિંડોશી ફ્લાયઓવરનું ટૂંક સમયમાં રિપેરિંગ

19 March, 2014 07:34 AM IST |

મિડ-ડેના રિપોર્ટનો પડઘો : જોખમી દિંડોશી ફ્લાયઓવરનું ટૂંક સમયમાં રિપેરિંગ

 મિડ-ડેના રિપોર્ટનો પડઘો : જોખમી દિંડોશી ફ્લાયઓવરનું ટૂંક સમયમાં રિપેરિંગ





આ બાબતે ‘મિડ-ડે’માં રિપોર્ટ આવ્યો હતો અને એમાં કહેવામાં આવ્યું હતું કે  રોજના અંદાજે ૫૦,૦૦૦ જેટલા લોકોના જીવ એને કારણે જોખમમાં મુકાય છે. આ સંદર્ભે‍ જૉઇન્ટ કમિશનર ઑફ પોલીસ (ટ્રાફિક) ડૉ. બી. કે. ઉપાધ્યાય એક ફ્રેશ લેટર લખીને MSRDCને જણાવવાના છે કે એ રિપેરિંગનું કામ કરી શકે છે, પણ એણે ટ્રાફિકની સમસ્યા ઘેરી ન બને એ માટે ફ્લાયઓવરની એક લાઇન ચાલુ રાખવી પડશે, કારણ કે રોજના ૫૦,૦૦૦ જેટલા મોટરિસ્ટો એનો ઉપયોગ કરે છે.

 ડૉ. બી. કે. ઉપાધ્યાયે આ વિશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે આ બાબતને ગંભીરતાથી લીધી છે અને ડેપ્યુટી કમિશનરને આ બાબતે લેટર લખવા જણાવ્યું છે. હવે બોર્ડની એક્ઝામ પૂરી થવા આવી છે એથી એણે રિપેરિંગનું કામ કરી મૉન્સૂન પહેલાં પતાવી દેવું પડશે.’

ડેપ્યુટી કમિશનર પ્રતાપ દિઘાવકરે આ બાબતે કહ્યું છે કે તેઓ આ વિશે MSRDCના અધિકારીઓને મળ્યા છે અને તેમણે ટ્રાફિકની સમસ્યાને કઈ રીતે ખાળી શકાય એ બાબતે પણ ચર્ચા કરી હતી. તેમણે એ વિશે કહ્યું હતું કે અમે ટ્રાફિક જૅમ ન થાય અને લોકોને હાડમારી ભોગવવી ન પડે એ માટે ટ્રાફિકને ડાઇવર્ટ કરીને સર્વિસ રોડનો ઉપયોગ કરવાનું વિચારી રહ્યા છીએ.

આ પહેલાં MSRDCએ ૪ ફેબ્રુઆરીએ ટ્રાફિક-ડિપાર્ટમેન્ટને લેટર લખીને મેજર રિપેરિંગ કરવાનું હોવાથી ફ્લાયઓવર ૧૪ ફેબ્રુઆરીથી ૧૫ મે સુધી બંધ રાખવાની માગણી કરી હતી. ત્ત્વ્-બૉમ્બેના સ્ટુડન્ટ્સે આ બાબતે તપાસ કરી રિપોર્ટર્ આપ્યો હતો અને એમાં બહુ જ સ્પષ્ટ કહ્યું હતું કે ફ્લાયઓવરનું રિપેરિંગ કરવું બહુ જ જરૂરી છે. જોકે ટ્રાફિક-ડિપાર્ટમેન્ટે એ વખતે MSRDCને એક લેટર લખીને ટ્રાફિક કઈ રીતે મૅનેજ કરવામાં આવશે એનો ખુલાસો માગ્યો હતો જેનો જવાબ MSRDCએ નહોતો આપ્યો, કારણ કે MSRDCનું કહેવું હતું કે એને આવો કોઈ લેટર જ નહોતો મળ્યો.   

ટ્રાફિકની સમસ્યા વિશે જણાવતાં એક ઑફિસરે કહ્યું હતું કે ‘ઑક્ટોબર મહિનામાં જ્યારે આ બ્રિજ ૨૧ દિવસ રિપેરિંગ માટે બંધ રાખવામાં આવ્યો હતો ત્યારે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ભારે ટ્રાફિક જૅમ સર્જાતો હતો. એથી એને ત્રણ મહિના સુધી રિપેરિંગ માટે બંધ કરવો એ બહુ મોટી સમસ્યા હતી અને સ્કૂલોની અને કૉલેજોની પણ એકઝામ ચાલી રહી હોવાથી અમે આ બાબતે ફરી MSRDCનો સંપર્ક નહોતો કર્યો, કારણ કે નહીં તો લોકોને ફરી ભારે હાડમારીનો સામનો કરવો પડ્યો હોત.’


Whatsapp-channel Whatsapp-channel

19 March, 2014 07:34 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK