દિલીપકુમારના બે ભાઈઓની આર્થિક સ્થિતિ નબળી હોવાથી નાયર હૉસ્પિટલમાં ફ્રી ટ્રીટમેન્ટની માગણી
પ્રાઇવેટ હૉસ્પિટલનો ખર્ચ પરવડે એમ ન હોવાથી સુધરાઈની હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હોવાનું તેમણે કહ્યું હતું અને નાયર હૉસ્પિટલ તેમને ઍન્જિયોપ્લાસ્ટી માટે સ્ટેન્ટ્સ મફતમાં પૂરી પાડવા સંમત થઈ છે. બન્નેને હૃદયની ગંભીર બીમારી હોવાનું જણાવી નાયર હૉસ્પિટલના કાર્ડિયોલૉજી ડિપાર્ટમેન્ટના હેડે તેઓ પૂઅર બૉક્સ ફન્ડ અંતર્ગત સારવાર માટે યોગ્ય કેસ છે એવી રજૂઆત કર્યા બાદ હૉસ્પિટલના સત્તાવાળાઓ તેમને સ્ટેન્ટ્સ મફતમાં પૂરા પાડવા તૈયાર થયા છે.
ADVERTISEMENT