Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પેશાવરના હત્યાકાંડથી દિલીપકુમાર વ્યથિત

પેશાવરના હત્યાકાંડથી દિલીપકુમાર વ્યથિત

19 December, 2014 07:01 AM IST |

પેશાવરના હત્યાકાંડથી દિલીપકુમાર વ્યથિત

પેશાવરના હત્યાકાંડથી દિલીપકુમાર વ્યથિત


Dilip Kumar


દિલીપકુમારની લાગણીઓ જણાવતાં તેમનાં પત્ની સાયરાબાનુએ કહ્યું હતું કે ‘પેશાવરની સ્કૂલમાં આચરવામાં આવેલા રાક્ષસી કૃત્યથી મને ખૂબ આઘાત લાગ્યો છે. ભારતના ભાગલા નહોતી પડ્યા એ વખતમાં એ રળિયામણા શહેર પેશાવરમાં મારો જન્મ થયો હતો. એ શહેરની ઘણી વિશિષ્ટ યાદો મારા મનમાં હજીયે તાજી છે.’

સાયરાબાનુએ દિલીપસાબની લાગણીઓ જણાવતાં કહ્યું હતું કે ‘પેશાવરમાં તાલિબાનના ટેરરિસ્ટોએ સ્કૂલનાં બાળકો સાથે જે કર્યું એ જઘન્ય પાપ છે અને ક્યારેય માફ કરી શકાય એમ નથી. એ હત્યાકાંડથી હું જખમી થયો છું. એ લાગણીઓ વ્યક્ત કરવા માટે શબ્દો નથી. તાજેતરનાં વર્ષોમાં કોઈ પણ દેશે અનુભવેલા સૌથી ઘૃણાસ્પદ એવા આ અપરાધમાં જે પેરન્ટ્સે તેમનાં દીકરા અને દીકરીઓ ગુમાવ્યાં તેમના માટે મારું હૈયું વલોવાય છે.

તેમને સાંત્વન આપવા જવાની ઇચ્છા થાય છે.’ હજીયે પેશાવરમાં યુસુફસાબના પૂર્વજોનું ઘર છે.


Whatsapp-channel Whatsapp-channel

19 December, 2014 07:01 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK