Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > દિલ્હીઃશેતાનિયતની હદ, પુત્રએ કર્યા પિતાના 50 ટુકડા, વાંચો કેમ

દિલ્હીઃશેતાનિયતની હદ, પુત્રએ કર્યા પિતાના 50 ટુકડા, વાંચો કેમ

22 May, 2019 03:16 PM IST | દિલ્હી

દિલ્હીઃશેતાનિયતની હદ, પુત્રએ કર્યા પિતાના 50 ટુકડા, વાંચો કેમ

દિલ્હીઃશેતાનિયતની હદ, પુત્રએ કર્યા પિતાના 50 ટુકડા, વાંચો કેમ


દેશની રાજધાની દિલ્હીમાં સંબંધોની લોહિયાળ હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પૂર્વ દિલ્હીના શાહદરા વિસ્તારમાં એક યુવકે સંપત્તિ માટે પોતાના પિતાની હત્યા કરી નાખી. અને મૃતદેહના 50 ટુકડા કરી નાખ્યા. જો કે આ યુવક મૃતદેહના ટુકડાઓને ઠેકામે પાડે તે પહેલા જ પોલીસે તેને ઘરની બહારથી ઝડપી પાડ્યો. આ ઘટના સામે આવતા જ સમગ્ર વિસ્તારમાં ઉહાપોહ મચી ગયો ચે.

મળતી માહિતી પ્રમાણે અમન નામના યુવકે પોતાના એક ફ્રેન્ડ સાથે મળીને સંપત્તિ મેળવવા માટે પિતા સંદેશ અગ્રહવાલની હત્યા કરી નાખી. બાદમાં તે મૃતદેહના ટુકડા કરીને ઠેકાણે પાડવા જતો હતો ત્યારે જ પોલીસે તેને ઝડપી પાડ્યો. પોલીસે સંદેશ અગ્રવાલના મૃતદેહના ટુકડા ભેગા કરીને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દીધા છે. અમને પિતાના શબને ઠેકાણે પાડવા માટે 50 ટુકડા કર્યા હતા. આ સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી છે.



પોલીસે આપેલી માહિતી પ્રમાણે સંદેશ અગ્રવાલ દિલ્હીમાં કોસ્મેટિક સામાનની દુકાન ધરાવે થે. તેમને પરિવારમાં એક પત્ની, બે પુત્ર અને 1પુત્રી છે. આ હત્યા પાછળ સંપત્તિનો વિવાદ કારણભૂત છે. પોલીસ તપાસમાં સામે આવ્યુ છે કે અમન પિતાની દુકાન પર કબજો કરવા ઈચ્છતો હતો. તેને અહીં સાઈબર નેટ ખોલવું હતું. કેટલાક દિવસ પહેલા અમને પિતાને મારી નાખવાની ધમકી પણ આપી હતી.


સંદેશ અગ્રવાલના ભાઈનો આરોપ છે કે મૃતકનો આખો પરિવાર આ હત્યામાં સામેલ છે. તેઓ વારંવાર સંપત્તિ વેચવા માટે સંદેશને હેરાન કરતા હતા. સંદેશ અગ્રવાલની પ્રોપર્ટી માટે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. તેઓ પોતાની અડધી સંપત્તિ પત્ની અને બાળકોના નામે કરી ચૂક્યા હતા. પરંતુ તેમને દુકાન પુત્રને આપવાની કોઈ ઈચ્છા નહોતી.

મૃતકના પરિવારનો દાવો છે કે સોમવારે રાત્રે જ મૃતકની હત્યા કરી દેવાઈ હતી, કારણ કે મંગળવારે સવારે તે ક્યાંય નહોતા દેખાયા. શોધવા છતાંય ક્યાંય સંદેશ અગ્રવાલ નહોતા મળી આવ્યા. બાદમાં તેમના પરિવારજનોને અમનની ગતિવિધિ પર શંકા થઈ.


આ પણ વાંચોઃ મુંબઈ: ટિળકનગર સ્ટેશન પર મહારાષ્ટ્ર સિક્યૉરિટી ફોર્સના જવાનની મારપીટ

આકરે મંગળવારે રાત્રે જ્યારે અમન પોતાના મિત્રની ગાડીમાં લાશના ટુકડા લઈ જતો હતો ત્યારે સંદેશ અગ્રવાલના પરિવારજનોએ જ તેને રંગે હાથ પકડીને પોલીસને માહિતી આપી દીધી. બાદમાં પોલીસે અમન અને તેના મિત્રની ધરપકડ કરી.

Whatsapp-channel Whatsapp-channel

22 May, 2019 03:16 PM IST | દિલ્હી

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK