દિલ્હી: હોટલ અર્પિત પેલેસમાં આગ મામલે કલમ 304 અને 308 હેઠળ નોંધાયો કેસ
હોટલ અર્પિત પેલેસમાં લાગેલી આગમાં 17 લોકોના થયાં મોત
દિલ્હીના કરોલબાગ વિસ્તારમાં આવેલી હોટલ અર્પિત પેલેસમાં લાગેલી આગના મામલે કલમ 304 અને 308 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે હોટલ અર્પિત પેલેસમાં ગઈકાલે મોડી રાતે આગ લાગી હતી, જેમાં 17 લોકોનાં મોત થયાં હતાં. ભારે જહેમત બાદ આગ કાબુમાં લેવાઈ હતી. જો કે બપોરે ફરી હોટેલના બિલ્ડીંગમાંથી ધુમાડો નીકળતા લોકો દોડતા થઈ ગયા હતા.
આ પણ વાંચો: દિલ્હીઃ હોટલમાં બપોરે ફરી ધુમાડા દેખાતા લોકો દોડતા થયા
ADVERTISEMENT
17 મૃતકોમાં સાત પુરુષ, એક મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે. મૃતકોમાં મોટા ભાગના દિલ્હીમાં ફરવા આવેલા ટૂરિસ્ટ અને બીજા લોકો હતા. મ્યાનમાર અને કોચિથી આવેલા લોકોનો પણ તેમાં સમાવેશ થાય છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે આગથી બચવા માટે અનેક લોકો તકિયા લઈને ચૌથા માળેથી કૂદ્યા હતા. ઘટનાસ્થળ પર દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ પહોંચ્યા અને તેમણે ઘટના મામલે દુઃખ વ્યક્ત કરતા મૃતકોના પરિવારજનોને પાંચ-પાંચ લાખ રૂપિયાના વળતરનું એલાન કર્યું હતું. દિલ્હીના ઉપરાજ્યપાલ નજીબ જંગ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.