Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > દિલ્હીમાં જુલાઈના અંત સુધીમાં કોરોનાના કેસ પાંચ લાખની પાર જશે

દિલ્હીમાં જુલાઈના અંત સુધીમાં કોરોનાના કેસ પાંચ લાખની પાર જશે

10 June, 2020 12:23 PM IST | New Delhi
Agencies

દિલ્હીમાં જુલાઈના અંત સુધીમાં કોરોનાના કેસ પાંચ લાખની પાર જશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કોરોના વાઇરસની ઝપટમાં બહુ ખરાબ રીતે ફસાયેલા દિલ્હીની ભવિષ્યની તસવીર વધુ ભયાનક થવાની છે. દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના મતે દિલ્હીમાં ૩૧ જુલાઈ સુધીમાં સાડા પાંચ લાખ કેસ થઈ શકે છે.

સિસોદિયાએ એમ પણ કહ્યું કે કેન્દ્ર સરકાર માને છે કે હાલ દિલ્હીમાં કમ્યુનિટી સ્પ્રેડ થઈ રહ્યું નથી. જ્યારે દિલ્હી સરકારને લાગે છે કે તે શરૂ થઈ ગયું છે. સિસોદિયાએ આ વાત એસડીએમએ (સ્ટેટ ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ઑથોરિટી)ની બેઠક બાદ કહી. તેમાં રાજ્યપાલ અનિલ બૈજલ પણ સામેલ હતા.



દિલ્હીમાં કમ્યુનિટી ટ્રાન્સમિશન થયું છે : કેજરીવાલ સરકાર


કોરોના વાઇરસના વધતા કેસ વચ્ચે દિલ્હી સરકારે સ્વીકાર્યું છે કે દિલ્હીમાં કમ્યુનિટી ટ્રાન્સમિશન થઈ ચૂક્યું છે. મંગળવારે સ્વાસ્થ્ય મંત્રાલય પ્રધાન સત્યેન્દ્ર જૈને કહ્યું કે દિલ્હીમાં લગભગ ૫૦ ટકા કેસ એવા આવી રહ્યા છે, જેમના સ્રોત વિશે માહિતી નથી મળી રહી કે તેમને સંક્રમણ ક્યાંથી થયું. તેમણે કહ્યું કે જ્યારે તમને કેટલાક લોકો એવા મળે કે જેમને સંક્રમણના સોર્સ વિશે માહિતી ન મળી રહી હોય તો તેને કમ્યુનિટી સ્પ્રેડ કહેવામાં આવે છે. હવે આ કંઈ નથી.


Whatsapp-channel Whatsapp-channel

10 June, 2020 12:23 PM IST | New Delhi | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK