દિલ્હીમાં જુલાઈના અંત સુધીમાં કોરોનાના કેસ પાંચ લાખની પાર જશે
પ્રતીકાત્મક તસવીર
કોરોના વાઇરસની ઝપટમાં બહુ ખરાબ રીતે ફસાયેલા દિલ્હીની ભવિષ્યની તસવીર વધુ ભયાનક થવાની છે. દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના મતે દિલ્હીમાં ૩૧ જુલાઈ સુધીમાં સાડા પાંચ લાખ કેસ થઈ શકે છે.
સિસોદિયાએ એમ પણ કહ્યું કે કેન્દ્ર સરકાર માને છે કે હાલ દિલ્હીમાં કમ્યુનિટી સ્પ્રેડ થઈ રહ્યું નથી. જ્યારે દિલ્હી સરકારને લાગે છે કે તે શરૂ થઈ ગયું છે. સિસોદિયાએ આ વાત એસડીએમએ (સ્ટેટ ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ઑથોરિટી)ની બેઠક બાદ કહી. તેમાં રાજ્યપાલ અનિલ બૈજલ પણ સામેલ હતા.
ADVERTISEMENT
દિલ્હીમાં કમ્યુનિટી ટ્રાન્સમિશન થયું છે : કેજરીવાલ સરકાર
કોરોના વાઇરસના વધતા કેસ વચ્ચે દિલ્હી સરકારે સ્વીકાર્યું છે કે દિલ્હીમાં કમ્યુનિટી ટ્રાન્સમિશન થઈ ચૂક્યું છે. મંગળવારે સ્વાસ્થ્ય મંત્રાલય પ્રધાન સત્યેન્દ્ર જૈને કહ્યું કે દિલ્હીમાં લગભગ ૫૦ ટકા કેસ એવા આવી રહ્યા છે, જેમના સ્રોત વિશે માહિતી નથી મળી રહી કે તેમને સંક્રમણ ક્યાંથી થયું. તેમણે કહ્યું કે જ્યારે તમને કેટલાક લોકો એવા મળે કે જેમને સંક્રમણના સોર્સ વિશે માહિતી ન મળી રહી હોય તો તેને કમ્યુનિટી સ્પ્રેડ કહેવામાં આવે છે. હવે આ કંઈ નથી.