સૈનિક સ્કૂલોમાં અનામત લાગુ થશે
પ્રતીકાત્મક તસવીર
દેશભરની સૈનિક સ્કૂલોમાં આગામી શૈક્ષણિક વર્ષ એટલે કે ૨૦૨૧-૨૨થી અનામત લાગુ કરાશે. સંરક્ષણ સચિવ અજય કુમારે જાણકારી આપતાં કહ્યું હતું કે દેશભરની સૈનિક સ્કૂલોમાં આગામી વર્ષથી ઓબીસી માટે ૨૭ ટકા બેઠકો અનામત રહેશે. જણાવી દઈએ કે દેશના સંરક્ષણ મંત્રાલય હેઠળ કામ કરતી સૈનિક સ્કૂલ સોસાયટી દેશમાં ૩૩ સૈનિક સ્કૂલોનું સંચાલન કરે છે. અજય કુમારે કહ્યું હતું કે ૧૩ ઑક્ટોબરે તમામ સ્કૂલોના આચાર્યોને આ નિર્ણયનો અમલ કરવા માટે સૂચના આપતો પરિપત્ર મોકલી આપવામાં આવ્યો છે.