Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > લોકલમાં સૌને પ્રવાસ: આવતી કાલે નિર્ણય

લોકલમાં સૌને પ્રવાસ: આવતી કાલે નિર્ણય

11 January, 2021 08:18 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લોકલમાં સૌને પ્રવાસ: આવતી કાલે નિર્ણય

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુંબઈની સબર્બન ટ્રેનોમાં તમામ નાગરિકોને પ્રવેશની છૂટ આપવાને મુદ્દે રાજ્ય સરકાર આવતી કાલે નિર્ણય લે એવી શક્યતા છે. રાજ્ય સરકારે મુંબઈ વડી અદાલતને મંગળવારે એ બાબતે નિર્ણય લેવાની બાંયધરી આપતાં ફેડરેશન ઑફ સબર્બન પૅસેન્જર્સ અસોસિએશને આજનું આંદોલન એક દિવસ માટે મુલતવી રાખ્યું હતું.

લૉકડાઉનના નિયમો હળવા કરવાની તબક્કાવાર ગતિવિધિમાં રાજ્ય સરકારે લોકલ ટ્રેનોમાં આવશ્યક સેવાઓના કર્મચારીઓ અને મર્યાદિત વર્ગોને પ્રવેશની છૂટ આપી હતી, પરંતુ સમય વીતતાં તમામ સર્વસામાન્ય નાગરિકો માટે લોકલ ટ્રેનોમાં પ્રવાસની છૂટ માટેની માગણી પ્રવાસી સંગઠનો કરવા માંડ્યાં હતાં.


Whatsapp-channel Whatsapp-channel

11 January, 2021 08:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK