Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > રેલવેપ્રધાન પીયૂષ ગોયલનાં માતાનું અવસાન

રેલવેપ્રધાન પીયૂષ ગોયલનાં માતાનું અવસાન

07 June, 2020 12:36 PM IST | Mumbai Desk
Agencies

રેલવેપ્રધાન પીયૂષ ગોયલનાં માતાનું અવસાન

પીયૂષ ગોયલ

પીયૂષ ગોયલ


બીજેપીના સિનિયર નેતા તથા રેલવેપ્રધાન પીયૂષ ગોયલનાં માતા ચંદ્રકાંતા ગોયલનું વૃદ્ધાવસ્થાને કારણે તેમના નિવાસસ્થાને શુક્રવારે મોડી રાતે અવસાન થયું હતું. પીયૂષ ગોયલે ટ્વિટર પર તેમનાં માતાના અવસાનની જાણ કરી હતી.
ટ્વીટમાં તેમણે જણાવ્યું હતું કે ‘તેમનાં માતાએ તેમનું સમગ્ર જીવન લોકોની સેવા માટે સમર્પિત કર્યું હતું તથા અન્ય લોકોને પણ એમ કરવાની પ્રેરણા પૂરી પાડી હતી.’
બીજેપીના નેતા અને ભૂતપૂર્વ પ્રધાન વિનોદ તાવડેએ જણાવ્યું હતું કે શનિવારે સવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
ચંદ્રકાંતા ગોયલ કટોકટી બાદ એક ટર્મ સુધી મુંબઈનાં કૉર્પોરેટર રહ્યાં હતાં, પછીથી તેમણે ત્રણ ટર્મ માટે મુંબઈની માટુંગા વિધાનસભા બેઠક પરથી બીજેપીનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
તેમના પતિ સ્વર્ગસ્થ વેદ પ્રકાશ ગોયલ લાંબા સમય સુધી બીજેપીના રાષ્ટ્રીય ખજાનચી રહ્યા હતા. અટલ બિહારી વાજપેયીની સરકારમાં તેઓ શિપિંગ પ્રધાન હતા.


Whatsapp-channel Whatsapp-channel

07 June, 2020 12:36 PM IST | Mumbai Desk | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK