Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુલુંડના જાણીતા ટ્રાવેલ્સના વેપારીનાં ૩૩ વર્ષનાં પુત્રવધૂનું મૃત્યુ

મુલુંડના જાણીતા ટ્રાવેલ્સના વેપારીનાં ૩૩ વર્ષનાં પુત્રવધૂનું મૃત્યુ

05 January, 2021 10:50 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુલુંડના જાણીતા ટ્રાવેલ્સના વેપારીનાં ૩૩ વર્ષનાં પુત્રવધૂનું મૃત્યુ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુલુંડમાં જાણીતા યોગી ટ્રાવેલ્સના માલિકના ૩૩ વર્ષનાં પુત્રવધૂ સુષમા યજ્ઞેશ જોષીનું ગઈ કાલે વહેલી સવારે કાર્ડિઍક અરેસ્ટથી મૃત્યુ થતાં મુલુંડ બ્રાહ્મણ સમાજમાં શોકની લાગણી પ્રસરી છે.

મુલુંડના પાંચ રસ્તા પર યોગી ટ્રાવેલ્સ ધરાવતા અને રુણવાલ એન્થોરિયમમાં રહેતાં સુષમાબહેનને રવિવારે મોડી રાતે છાતીમાં દુખાવો ઊપડ્યો હતો. ત્યાર બાદ પરિવારજનોએ ડૉક્ટરનો સંપર્ક કરી તેમને મુલુંડની ફોર્ટિસ હૉસ્પિટલમાં દાખલ કર્યાં હતાં, જ્યાં સારવાર દરમ્યાન સોમવારે વહેલી સવારે કાર્ડિઍક અરેસ્ટથી તેમનું મૃત્યુ થયું હોવાનું પરિવારજનોને જણાવાયું હતું.



આ બાબતે યોગી ટ્રાવેલ્સના માલિક હર્ષદ જોષીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે, ‘આ ઘટનાથી પરિવારજનોમાં શોક પ્રસરી ગયો છે. આ પહેલાં તેમને કોઈ પ્રકારની પરેશાની નહોતી. સુષમાનાં બે બાળકોમાં એક પુત્રી ૧૦ વર્ષની છે અને બીજી પાંચ વર્ષની છે. ભગવાને ન કરવાનું કરી નાખ્યું હોય એવું અમારા પર વીતી રહ્યું છે’.


Whatsapp-channel Whatsapp-channel

05 January, 2021 10:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK