Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > હાઇવે પર રોજ જાનને જોખમમાં મૂકીને થાય છે ક્રૉસિંગ

હાઇવે પર રોજ જાનને જોખમમાં મૂકીને થાય છે ક્રૉસિંગ

26 October, 2012 08:22 AM IST |

હાઇવે પર રોજ જાનને જોખમમાં મૂકીને થાય છે ક્રૉસિંગ

હાઇવે પર રોજ જાનને જોખમમાં મૂકીને થાય છે ક્રૉસિંગ






વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર સંજય ગાંધી નૅશનલ પાર્ક નજીક એક ફૂટઓવર બ્રિજ અને સબવે આવેલો હોવા છતાં લોકો જાનને જોખમમાં મૂકીને રસ્તો ઓળંગતા જોવા મળે છે અને એને જ કારણે દર મહિને અહીં ૯થી ૧૦ જેટલા અકસ્માતો થઈ રહ્યા છે.


સામાન્ય રીતે સત્તાવાળાઓ દ્વારા સુવિધા પૂરી પાડવામાં આવતી ન હોવાની ફરિયાદ કરવામાં આવતી હોય છે, પરંતુ બોરીવલીમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર લોકોને આપવામાં આવેલી સુવિધાનો ઉપયોગ કરવામાં આવતો ન હોવાનું ચિત્ર જોવા મળે છે. ટ્રાફિક સત્તાવાળાઓના જણાવ્યા મુજબ સંજય ગાંધી નૅશનલ પાર્ક નજીક થતા વાહનોના અકસ્માતનું એક મુખ્ય કારણ છે બેદરકાર રાહદારીઓ, જેઓ સબવે અને ફૂટઓવર બ્રિજનો લાભ લેવામાં બેદરકારી દાખવે છે.


ફૂટઓવર બ્રિજની પાસે જ પાન-બીડીની દુકાન ધરાવતા અવિનાશ પાંડેએ કહ્યું હતું કે ‘અહીં ઍક્સિડન્ટ થાય છે એનાથી વધુ તો રાહદારીઓના વાહનચાલકો સાથે ઝઘડા થતા હોય છે. ઝડપથી જતાં વાહનોની વચ્ચેથી રસ્તો ઓળંગતા રાહદારીઓ વાહન નજીક આવીને બ્રેક મારે ત્યારે વાહનચાલકોને ગાળો ભાંડતા હોય છે, પરંતુ એ વસ્તુ ભૂલી જાય છે કે ભૂલ તો તેમની જ હતી. તેમને એવું લાગે છે કે રસ્તો જ ઓળંગવાની વાર છે, પણ એમાં જાનનું જોખમ રહેલું હોવાનું તેમના ધ્યાનમાં આવતું નથી. આથી જ જ્યારે અકસ્માત થાય ત્યારે તેઓ વાહનચાલકોને દોષ આપે છે.’

જોકે રસ્તો ઓળંગવા માટે રાહદારીઓના પોતાનાં કારણો હતાં. અભિષેક જૈને ફૂટઓવર બ્રિજ વાપરવાને બદલે રસ્તો ઓળંગવા માટે કહ્યું હતું કે ‘આ મુંબઈ છે, અહીં બધાને સમયની સાથે દોડવાનું હોય છે. ફૂટઓવર બ્રિજ પર ચડવાનો સમય અને એનર્જી કોની પાસે છે?’

મીનલ શર્મા નામની મહિલાએ સબવેનો ઉપયોગ ન કરવા માટે કહ્યું હતું કે ‘સબવેની હાલત અત્યંત ખરાબ છે. લોકોએ પાન અને ગુટકા ખાઈને થૂંકીને દીવાલો લાલ કરી નાખી છે. અંદર અત્યંત દુર્ગંધ આવે છે. આથી જ અંદર નાક બંધ કરીને ચાલવાને બદલે હું રસ્તો ઓળંગવાનું પસંદ કરું છું.’

લોકોને રસ્તો ઓળંગતા રોકવા માટે ટ્રાફિક-પોલીસ ડિવાઇડરની ઊંચાઈ વધારવાનું વિચારી રહી છે. આની માહિતી આપતાં બોરીવલીના સિનિયર ટ્રાફિક-પોલીસ-ઇન્સ્પેક્ટર અનંત કેંજણેએ કહ્યું હતું કે ‘અમે મુંબઈ મહાનગરપાલિકા અને એમએમઆરડીએને પત્ર લખીને રોડના ડિવાઇડરની હાઇટ વધારવા જણાવ્યું છે જેથી લોકોને ફૂટ ઓવરબ્રિજ અને સબવે વાપરવાની ફરજ પાડી શકાય.’

એમએમઆરડીએ = મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી

Whatsapp-channel Whatsapp-channel

26 October, 2012 08:22 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK