હત્યા કરીને ફેંકી દેવાયેલા ભાઈના સાળાનો મૃતદેહ જંગલમાંથી મળ્યો
Published: 21st October, 2011 19:30 IST
દહિસરના કૌશિક ઝાલાવાડિયાનો કોહવાયેલો મૃતદેહ ગઈ કાલે ત્રણ દિવસની ભારે શોધ બાદ ગોરેગામ ફિલ્મસિટી નજીકના જંગલમાંથી મળી આવ્યો હતો. એ વિશે વધુ માહિતી આપતાં દહિસર પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર અન્સાર પીરઝાદેએ કહ્યું હતું કે ‘ગોરેગામ ફિલ્મસિટીથી અંદર જંગલમાં અંદાજે બે કિલોમીટર ઊંડે કૌશિકનો કોહવાયેલો મૃતદેહ ખુલ્લામાં મળી આવ્યો હતો. તેનો મૃતદેહ દાટેલો નહોતો, પણ એના પર મીઠું લગાડેલું હતું જેથી એની સ્મેલ ફેલાય નહીં.’
કૌશિકનો મૃતદેહ મળી આવતાં હવે તેનું મર્ડર થયું હોવાનું કન્ફર્મ થયું હોવાથી અમે નીતિન, તેની બહેન યોગિની અને તેમના અન્ય એક સાગરીત સુનીલ ભાનુશાલી ઉર્ફે સુનીલ જાડિયાની ધરપકડ કરી છે અને તેમની સામે મર્ડર અને એ માટે ષડ્યંત્ર રચવાનો ગુનો નોંધ્યો છે. આ પહેલા એવી માહિતી મળી હતી કે યોગીની નીતિનની વાઇફ છે, પણ ઍક્ચ્યુઅલમાં યોગિની નીતિનની વાઇફ નહીં પણ બહેન છે અને રાજપ્પા ઉર્ફે રાજુ નીતિનનો સાળો છે એ સાચું છે. જોકે નીતિનની વાઇફ અને રાજુની બહેનનું નામ સવિતા છે અને તેને આ મર્ડર સાથે કશી લેવાદેવા નથી એવું કહેતાં પીરઝાદેએ ઉમેર્યું હતું કે ‘નીતિન અને તેની બહેન યોગિનીએ બદલાની ભાવનાથી કૌશિકની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો અને એ માટે રાજુને ચાર લાખ રૂપિયાની સોપારી આપી હતી. રાજુએ સુનીલ જાડિયા, રાજુ કાલિયા અને ડૉન ઉર્ફે લક્ષ્મણને આ કામ સોંપ્યું હતું. જોકે યોગિનીએ કહ્યું હતું કે અમે તને ચાર લાખ રૂપિયા ચૂકવવાના છીએ તો અમને ખબર કેમ પડશે કે તમે કૌશિકને મારી નાખ્યો છે? આથી ઝેન કારમાં કૌશિકની હત્યા કરવામાં આવ્યા બાદ તેના મૃતદેહનો રાજુ કાલિયાએ ફોટોગ્રાફ પાડી લીધો હતો.’
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK