વાયુ વાવાઝોડાના કારણે તેજ ગતિથી પવન ફુંકાવાની અને ભારે વરસાદની આગાહી છે. આવી સ્થિતિમાં સલામત રહેવા માટે વાવાઝોડા પહેલા નીચેની વાતોનું ખાસ ધ્યાન રાખો.
તમારા મોબાઈલ ફોનને ચાર્જ રાખો
વાવાઝોડાની આગાહી તંત્રએ કરી જ દીધી છે. આવા સમયમાં સંપર્ક જાળવી રાખવા માટે તમારા ફોનને ચાર્જ કરી રાખો જેથી કટોકટીના સમયમાં તેનો ઉપયોગ કરી શકાય. ઈન્ટરનેટ ન હોય તો SMSનો ઉપયોગ કરો.
— NDMA India (@ndmaindia) June 10, 2019
તમારા જરૂરી દસ્તાવજો અને વસ્તુઓ સલામત રાખો
વાવાઝોડાની સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. આવા સમયે તમારા જરૂરી દસ્તાવેજોને પલળી જતા કે ખરાબ થઈ જતા બચાવવા માટે અને કટોકટીના સમયે કામ આવે તે માટે તેને પ્લાસ્ટિકમાં રાખીને સલામત જગ્યાએ રાખો. દસ્તાવેજો એવી જગ્યાએ સાચવો જ્યાંથી તમને જરૂર પડે ત્યારે તરત જ મળી જાય.
#Cyclone #Maharashtra #Gujarat #Lakshadweep pic.twitter.com/UJEFaQWdM3
— NDMA India (@ndmaindia) June 10, 2019
ઈમરજન્સી કિટ તૈયાર કરો
કટોકટીના સમયે કામ આવી શકે તેવી એક કિટ તૈયાર કરો. જેમાં ટોર્ચ, ફર્સ્ટ એઈડ બોક્સ, હળવું જમવાનું, પાણી, માચિસ જેવી જરૂરી વસ્તુઓ હોય.
#Cyclone #Maharashtra #Gujarat #Lakshadweep pic.twitter.com/ZWOGNJWyEn
— NDMA India (@ndmaindia) June 10, 2019
જો તમે બહાર હોવ તો
વાવાઝોડા કે ભારે વરસાદ સમયે તમે બહાર હોવ તો સૌથી પહેલા સલામત આશ્રય શોધો. આસપાસ વૃક્ષ, વીજળીના થાંભલા ન હોય તેનું ધ્યાન રાખો. જર્જરિત દીવાલ કે ઈમારતનો આશરો ન લો. સ્થિતિ થોડી સામાન્ય ન થાય ત્યાં સુધી નીકળાની ઉતાવળ ન કરો.
#Cyclone #Maharashtra #Gujarat #Lakshadweep pic.twitter.com/0U9mfvS1r5
— NDMA India (@ndmaindia) June 10, 2019
અફવાઓથી દૂર રહો
કુદરતી આફત દરમિયાન અફવાઓથી દૂર રહો. માત્ર ભરોસાપાત્ર માહિતી પર જ વિશ્વાસ કરો. સમાચારો જોતા રહો જેનાથી સાચી માહિતી મળે. સોશિયલ મીડિયા પર આવતા સંદેશાઓ પર વિશ્વાસ ન કરો.
વાવાઝોડા દરમિયાન અને વાવાઝોડું પસાર થઈ ગયા બાદ આટલી વાતોનું ધ્યાન રાખો
વીજળી, ગેસનો સપ્લાય બંધ કરો
વાવાઝોડા દરમિયાન ભૂલ્યા વગર વીજળી અને ખાસ કરીને ગેસનો સપ્લાય બંધ કરી દો. ભારે પવન અને વરસાદના કારણે શોર્ટ સર્કિટ જેવી ઘટના થવાની સંભાવના રહે છે.
બારી, દરવાજા બંધ રાખો
વાવાઝોડા દરમિયાન ઘરના બારી અને દરવાજા બંધ રાખો. કુતુહલવશ બહાર નીકળવાનો પ્રયાસ ન કરવો.
આ પણ વાંચોઃ 'વાયુ' વાવાઝોડાને પહોંચી વળવા તંત્ર તૈયાર, NDRFની ટીમો રવાના
સલામત જગ્યા શોધો
જો તમારું ઘર અસલામત હોય તો વાવાઝોડા પહેલા જ સલામત જગ્યાએ ખસી જાઓ. જર્જરિત કે જૂના ઘરમાં ન રહેવું જોઈએ.
શુદ્ધ પાણી પીઓ
વરસાદ અને વાવાઝોડા બાદ પાણીજન્ય રોગચાળો વધવાની સંભાવના રહેતી હોય છે. જેથી શુદ્ધ કરેલું પાણી જ પીઓ.
Indian Railways: પીએમ મોદીએ 8 નવી ટ્રેનને બતાવી લીલી ઝંડી, રચ્યો ઇતિહાસ
17th January, 2021 13:18 ISTPM નરેન્દ્ર મોદી 17 જાન્યુઆરીએ 8 ટ્રેનોને આપશે લીલી ઝંડી, જાણો કઈ ટ્રેન છે
16th January, 2021 18:44 ISTશ્રી રામ મંદિર નિર્માણ નિધિ અભિયાનમાં અમદાવાદમાં 20 કરોડથી વધુનો ફાળો
16th January, 2021 12:52 IST