મુંબઈ : નેહરુનગરમાં 33 વર્ષની વિધવા પર ચાર યુવકોએ બળાત્કાર કર્યો
પ્રતીકાત્મક તસવીર
લોકમાન્ય ટિળક ટર્મિનસ પાસે સોમવારે રાતના ૩૩ વર્ષની વિધવા પર ચાર યુવકોએ બળાત્કાર ગુજાર્યો હતો. નેહરુનગર પોલીસે ચારે આરોપીની ધરપકડ કરી છે.
સોમવારે રાતના મહિલા લોકમાન્ય ટિળક ટર્મિનસ પરથી ઉત્તર પ્રદેશના કટની જવા નીકળી હતી. એ માટે કુર્લા સ્ટેશન પર ઊતર્યા બાદ મહિલા ચાલતી લોકમાન્ય ટિળક ટર્મિનસ જઈ રહી હતી ત્યારે મહિલા રસ્તામાં આવેલા ઝાડીઝાંખરામાં લઘુશંકા કરવા માટે ગઈ હતી. એ વિસ્તારમાં પહેલાંથી બે યુવકો હતા ત્યાં મહિલાને એકલી જોઈ યુવકોએ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.
આ લોકોને આવું કરતાં જોતાં બીજા બે યુવકો જે ત્યાંથી બાઇક પર પસાર થઈ રહ્યા હતા તેમણે પણ પીડિતા પર બળાત્કાર ગુજાર્યો હતો. આ ચારેય યુવકોએ મહિલા પાસેના રોકડા ૩૦૦૦ રૂપિયા અને ગળામાં પહેરેલી સોનાની ચેઇન પણ લૂંટીને લઈ ગયા હતા.
ADVERTISEMENT
મહિલાને એ જ હાલતમાં છોડી નાસી ગયા હતા. મહિલા હોશમાં આવતાં રસ્તા પર આવી હતી અને રોડ પરથી પસાર થઈ રહેલી બીજી મહિલાએ પોલીસને જાણ કરી હતી અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.આજુબાજુના વિસ્તારમાંથી આરોપીઓને ઝડપી પીડિતા પાસે ઓળખ કરી તેમની ધરપકડ કરી છે.
આ પણ વાંચો : મુંબઈ: ભારતમાં ભણવા આવેલી વિદેશી યુવતીઓ સેક્સ રૅકેટમાં ઝડપાઈ
આરોપી સોનુ તિવારી, નિલેશ બારસકર, સિદ્ધાર્થ વાઘ, શ્રીકાત ભોગલે સામે આઇપીસીની કલમ ૩૭૬ (બળાત્કાર) સહિત અન્ય કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.