Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Covid-19: મહારાષ્ટ્રમાં આવેલા સ્ટેશન્સ પર હવે ટ્રેન્સ થોભશે

Covid-19: મહારાષ્ટ્રમાં આવેલા સ્ટેશન્સ પર હવે ટ્રેન્સ થોભશે

02 September, 2020 07:54 AM IST | Mumbai
Rajendra B Aklekar

Covid-19: મહારાષ્ટ્રમાં આવેલા સ્ટેશન્સ પર હવે ટ્રેન્સ થોભશે

રાજ્યની અંદરના સ્ટેશન્સ પર થોભશે ટ્રેન્સ

રાજ્યની અંદરના સ્ટેશન્સ પર થોભશે ટ્રેન્સ


મંગળવારે રેલ્વેઝે લીધેલા નિર્ણય અનુસાર અત્યારે જે ટ્રેન્સ ચાલી રહી છે તે હવે મહારાષ્ટ્રમાં આવેલા સ્ટેશન્સ પર હૉલ્ટ લઇ શકશે. આ પહેલા આ ટ્રેન્સ મહારાષ્ટ્રમાં આવેલા સ્ટેશન્સ પર હૉલ્ટ નહોતી લઇ શકતી.મહારાષ્ટ્ર સરકારની અનલૉક 4ની ગાઇડલાઇન્સ અનુસાર આ નિર્ણય લેવાયો છે. આ નિર્ણય બુધવારથી અમલી કરાશે.

આ અંગે મિડ-ડે સાથે વાત કરતાં સેન્ટ્રલ રેલ્વેના ચીફ પબ્લિક રિલેશન ઑફિસર શિવાજી સુતારે જણાવ્યું કે, “આ નિર્ણય મહારાષ્ટ્ર સરકારે મંગળવારે જાહેર કરેલી ગાઇડલાઇન્સ અનુસાર લેવાયો છે.એક વાત સ્પષ્ટ છે કે કોઇ જ નવી ટ્રેન્સનો ઉમેરો નથી કરાયો, જે ટ્રેન્સ અત્યારે ચાલી રહી છે તેના હૉલ્ટ્સ રિસ્ટોર થયા છે અને તેના ટિકીટિંગ સોફ્ટવેરમાં પણ એ પ્રમાણે ફેર બદલ કરાઇ છે. આ પરિવર્તન 2 સપ્ટેમ્બરથી અમલી થશે.”



મહારાષ્ટ્ર સરકારે રાજ્યની સરહદની અંદર આવેલા સ્ટેશન્સ પર કોઇપણ ટ્રેન્સ નહીં થોભે તેવી જાહેરાત કરી હતી અને જ્યારે જિલ્લાઓમાં અંદર અંદર બસીઝ દોડી શકશે તેવી  છૂટ અપાઇ ત્યારે પણ ટ્રેન્સને મામલે કોઇ છૂટ નહોતી અપાઇ.સુતારે કહ્યું કે આ બદલાવ ગાઇડલાઇનના પોઇન્ટ ચાર અનુસાર કરાયો છે અને ટિકીટિંગ ચેન્જિઝને કારણે જે સ્ટેશન રિસ્ટોર કરાયા છે ત્યાંની ટિકિટ્સ પણ મુસાફરો બુક કરાવી શકશે.


Whatsapp-channel Whatsapp-channel

02 September, 2020 07:54 AM IST | Mumbai | Rajendra B Aklekar

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK