Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 13,083 કેસ નોંધાયા, રિકવરી 97% નજીક

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 13,083 કેસ નોંધાયા, રિકવરી 97% નજીક

30 January, 2021 11:28 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 13,083 કેસ નોંધાયા, રિકવરી 97% નજીક

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


દેશમાં કોરોના રોગચાળામાં ઝડપથી સુધારો થઈ રહ્યો છે. દેશમાં કોરોના સંક્રમણનો રિકવરી દર 97 ટકા પર પહોંચી ગયો છે. આ સાથે જ નવા કોરોના વાઈરસના નવા કેસમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. કોરોનાના એક્ટિવ કેસ ઓછા થઈ રહ્યા છે, ત્યારે દૈનિક મૃત્યુની સંખ્યા પણ ઓછી થઈ રહી છે.

કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયના તાજેતરના આંકડા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસ સંક્રમણના 13,083 નવા કેસ સામે આવ્યા છે. આ સમયગાળા દરમિયાન 137 લોકોનું મોત થયું છે. આરોગ્ય મંત્રાલયના તાજેતર આંકડા અનુસાર દેશમાં કોરોના સંક્રમણના અત્યાર સુધી કુલ 1 કરોડ 7 લાખ 33 હજાર 131 કેસ સામે આવ્યા છે. જોકે એમાંથી 1 કરોડ 4 લાખ 9 હજાર 160 લોકો સાજા થઈ ગયા છે. ભારતમાં કોરોનાના સક્રિય કેસ ઘટીને 1 લાખ 69 હજાર 824 રહી ગયા છે. દેશમાં કોરોનાથી મૃત્યુઆંક 1 લાખ 54 હજાર 147 થઈ ગઈ છે.



રિકવરી દર 97 ટકા નજીક પહોંચ્યો


દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 14808 લોકો સાજા થયા છે. એનાથી કોરોના વાઈરસનો રિકવરી દર 96.98 ટકા થયો છે. દેશમાં કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 1862 સક્રિય કેસ ઓછા થયા છે. એમાંથી એક્ટિવ કેસનો દર 1.58 ટકા થઈ ગયો છે. ભારતનો કોરોના મૃત્યુ દર 1.44 ટકા થઈ ગયો છે.

દેશમાં સાડા 19 કરોડથી વધારે કોરોના ટેસ્ટ


દેશમાં કોરોના તપસાની સંખ્યા ઝડપથી વધી રહી છે. દેશમાં અત્યાર સુધી સાડા 19 કરોડથી વધારે કોરોના તપાસ થઈ ચૂકી છે. ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (Indian Council of Medical Research, ICMR) તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં શુક્રવારે એટલે 29 જાન્યુઆરી 2021 સુધી 19,58,37,408 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, જેમાંથી 7,56,329 ટેસ્ટ કાલે કરવામાં આવ્યા છે.

દેશમાં અત્યાર સુધી 35 લાખથી અધિક રસીકરણ

દેશમાં કોરોના વાઈરસ વિરૂદ્ધ રસીકરણ ચાલુ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના તાજેતરના આંકડા અનુસાર દેશમાં અત્યાર સુધી 35 લાખ 27 લોકોને રસી આપવામાં આવી છે. એમાંથી છેલ્લા 24 કલાકમાં 5 લાખ 71 હજાર 974 લોકોને રસી આપવામાં આવી છે.

Whatsapp-channel Whatsapp-channel

30 January, 2021 11:28 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK