Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નાશિકમાં કોરોના સંક્રમિતોનો આંકડો 7000ને પાર

નાશિકમાં કોરોના સંક્રમિતોનો આંકડો 7000ને પાર

14 July, 2020 11:21 AM IST | Nashik
Agencies

નાશિકમાં કોરોના સંક્રમિતોનો આંકડો 7000ને પાર

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


નાશિક જિલ્લામાં રવિવારે વધુ ૨૧૮ કેસ નોંધાયા હતા. આ સાથે જ નાશિક જિલ્લામાં કોવિડ-19 સંક્રમિતોની સંખ્યા ૭૦૦૨ પર પહોંચી હોવાનું તેમ જ વધુ ૧૪ પેશન્ટ્સનાં મૃત્યુ સાથે જિલ્લામાં મૃત્યાંક ૩૩૨ પર પહોંચ્યો હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.

નાશિકમાં નોંધાયેલા ૩૩૨ મૃત્યુમાંથી ૭૯ મૃત્યુ માલેગામમાં, જ્યારે કે ૧૬૯ નાશિક મહાપાલિકા હેઠળના વિસ્તારોમાં અને ૭૦ નાશિક જિલ્લાના અન્ય વિસ્તારોમાં નોંધાયા હતા. ૧૪ પેશન્ટ્સ જિલ્લાની બહારના છે, જેમની અહીંની હૉસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે. નાશિકમાં નોંધાયેલા ૭૦૦૨ કોવિડ સંક્રમિતોમાંથી ૧૧૫૧ માલેગામના, જ્યારે કે ૪૦૮૪ નાશિક શહેરના અને ૧૬૩૦ નાશિક જિલ્લાના અન્ય વિસ્તારોમાં નોંધાયા હોવાનું સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું. નાશિક જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૪૫૧૯ પેશન્ટ્સ સારવાર બાદ સ્વસ્થ થઈ હૉસ્પિટલમાંથી રજા લઈ ઘરે ગયા છે.


Whatsapp-channel Whatsapp-channel

14 July, 2020 11:21 AM IST | Nashik | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK