Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ: ચાર-ચાર લૉકડાઉન છતાં પણ કેસમાં સતત વધારો

મુંબઈ: ચાર-ચાર લૉકડાઉન છતાં પણ કેસમાં સતત વધારો

24 May, 2020 11:04 AM IST | New Delhi
Agencies

મુંબઈ: ચાર-ચાર લૉકડાઉન છતાં પણ કેસમાં સતત વધારો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ભારતમાં વૈશ્વિક મહામારી કોરોના વાઇરસના સંક્રમણને રોકવા એક પછી એક ચાર-ચાર લૉકડાઉન લગાવવા છતાં કોરોના પૉઝિટિવ કેસ ઓછા થવાને બદલે વધી રહ્યા હોય એમ છેલ્લા ૨૪ કલાક દરમ્યાન ૬૬૫૪ કેસ નોંધાયા છે જે અત્યાર સુધીમાં ૨૪ કલાકમાં નોંધાયેલા સૌથી વધારે કેસ છે. એની સાથે વધુ ૧૩૭ લોકોનાં મોત પણ થયાં છે અને દેશમાં કોરોના સંક્રમિત કેસો સવા લાખ પર પહોંચી ગ‍યા છે.

ભારતમાં જાન્યુઆરીના છેલ્લા સપ્તાહમાં જ્યારે કોરોનાનો પહેલો કેસ નોંધાયો ત્યારે કોઈએ એવી કલ્પના પણ નહીં કરી હોય કે કેસની સંખ્યામાં ભારત ચીનથી આગળ નીકળી જશે. આ રોગનો વાઇરસ જે દેશે ફેલાવ્યો હોવાનું મનાય છે એ ચીનમાં ૮૦,૦૦૦ કરતાં સહેજ વધારે કેસો નોંધાયા હતા, જ્યારે ભારત હવે એનાથી આગળ નીકળી જઈને સવા લાખ સુધી કેસો પહોંચી ગયા છે જેમાં છેલ્લા ૨૪ કલાક દરમ્યાન જે ૬૬૫૪ કેસ આવ્યા એ અત્યાર સુધીમાં એક જ દિવસમાં નોંધાયેલા સૌથી વધારે છે.



કેન્દ્ર સરકારે ૨૫ માર્ચના રોજ લૉકડાઉન-૧ લાગુ કર્યો એ પછી એને લંબાવતાં-લંબાવતાં હવે ૩૧ મે સુધી લંબાવવામાં આવ્યું છે, પરંતુ પૉઝિટિવ કેસ ઘટવાને બદલે વધી રહ્યા હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. જે નવા ૬૬૫૪ કેસ એક જ દિવસમાં નોંધાયા એમાં અડધોઅડધ કેસ મહારાષ્ટ્રના છે.


કોરોનાના કારણે દેશમાં ૪૨.૩ ટકા લોકોનાં મોત માત્ર મહારાષ્ટ્રમાં થયાં છે. શનિવાર સવાર સુધી કોરોનાના ૨૯૪૦ નવા કેસ સામે આવ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

24 May, 2020 11:04 AM IST | New Delhi | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK