Coronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 97,894 કેસ, 1,132 દર્દીઓનાં મોત
પ્રતિકાત્મક તસવીર
દેશમાં કોરોના વાયરસ (COVID-19)ના દરરોજ નોંધાતા આંકડા એક નવો રેકૉર્ડ બનાવે છે. ભારતમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધતું જ જાય છે. છેલ્લા કેટલાય દિવસથી દરરોજ સરેરાશ 90,000થી વધુ કેસ નોંધાય છે. જે ઝડપથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે તે જોતા લાગી રહ્યું છે કે, ટૂંક સમયમાં એક જ દિવસમાં આ આંકડો એક લાખને પાર કરી જશે. ભારતમાં કોરોના વાયરસ સંક્રમિતોની સંખ્યા 51 લાખને પાર થઈ ગઈ છે. આ ઉપરાંત મૃત્યુઆંક પણ ચિંતાજનક સ્તરે વધી રહ્યો છે. ગુરુવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં 97,894 નવા કેસ નોંધાયા છે અને 1,132 દર્દીઓના મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ 51,18,254 કેસ થઈ ગયા છે. જેમાંથી 10,09,976 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 40,25,080 કોરોનાના દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. જેમાં છેલ્લા ચોવીસ કલાકમાં 82,719 લોકો સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 83,198 લોકો મૃત્યુ પામ્યા છે.
મહારાષ્ટ્ર રાજ્ય દેશમાં સૌથી વધુ કોરોના પ્રભાવિત છે. છેલ્લા ચોવીસ કલાકમાં અહીં 23,365 નવા કેસ નોંધાયા છે અને 474 લોકોના મોત થયા છે. જ્યારે 17,559 લોકો છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો 11,21,221 થઈ ગયો છે. તેમાંથી 2,97,506 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 30,883 લોકો મૃત્યુ પામ્યા છે અને 7,92,832 લોકો સારવાર બાદ સાજા થયા છે.
ADVERTISEMENT
ગુજરાત રાજ્યમાં પણ કોરોનાના આંકડાઓમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયેલા આંકડાઓ પ્રમાણે, 1,364 નવા કેસ નોંધાયા હતા અને 17 લોકોના મોત થયા હતા. જ્યારે 1,447 દર્દીઓ છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 1,17,709 થઈ ગયો છે. જેમાંથી 16,262 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 3,256 લોકોના મોત થયા છે અને 98,029 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના આંકડાઓ મુજબ, ભારતમાં 16 સપ્ટેમ્બર સુધીમાં કોરોનાના 6,05,65,728 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યંટ છે. જ્યારે મંગળવારે 11,36,613 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. તમામ રાજ્યોમાં કોરોના ટેસ્ટિંગ સંખ્યા વધારવા પર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે.