Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Coronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 94,372 કેસ, 1,114 દર્દીઓનાં મોત

Coronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 94,372 કેસ, 1,114 દર્દીઓનાં મોત

13 September, 2020 11:01 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Coronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 94,372 કેસ, 1,114 દર્દીઓનાં મોત

સ્વેબ સેમ્પલ કલેક્ટ કરતા આરોગ્ય કર્મચારી (તસવીર સૌજન્ય: એએફપી)

સ્વેબ સેમ્પલ કલેક્ટ કરતા આરોગ્ય કર્મચારી (તસવીર સૌજન્ય: એએફપી)


દેશમાં કોરોના વાયરસ (COVID-19)ના દરરોજ નોંધાતા આંકડા એક નવો રેકૉર્ડ બનાવે છે. ભારતમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધતું જ જાય છે. રોજ સરેરાશ 90,000થી વધુ કેસ નોંધાય છે. જે ઝડપથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે તેનાથી લાગી રહ્યું છે કે, ટૂંક સમયમાં એક જ દિવસમાં આ આંકડો એક લાખને પાર કરી જશે. રવિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં 94,372 નવા કેસ નોંધાયા છે અને 1,114 દર્દીઓના મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ 47,54,357 કેસ થઈ ગયા છે. જેમાંથી 9,73,175 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 37,02,596 કોરોનાના દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. જેમાં છેલ્લા ચોવીસ કલાકમાં 78,399 લોકો સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 78,586 લોકો મૃત્યુ પામ્યા છે. દેશનો રિકવરી રેટ 77.8 ટકા થયો છે. જ્યારે મોતનું પ્રમાણ 1.7 ટકા છે.

મહારાષ્ટ્ર રાજ્ય દેશમાં સૌથી વધુ કોરોના પ્રભાવિત છે. છેલ્લા ચોવીસ કલાકમાં અહીં 22,084 નવા કેસ નોંધાયા છે અને 391 લોકોના મોત થયા છે. જ્યારે 13,489 લોકો છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો 10,37,765 થઈ ગયો છે. તેમાંથી 2,80,138 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 29,115 લોકો મૃત્યુ પામ્યા છે અને 7,28,512 લોકો સારવાર બાદ સાજા થયા છે.



ગુજરાત રાજ્યમાં પણ કોરોનાના આંકડાઓમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. શનિવારે સાંજે નોંધાયેલા આંકડાઓ પ્રમાણે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં 1,365 નવા કેસ નોંધાયા હતા અને 15 લોકોના મોત થયા હતા. જ્યારે 1,335 દર્દીઓ છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 1,23,336 થઈ ગયો છે. જેમાંથી 16,333 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 3,195 લોકોના મોત થયા છે અને 92,678 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.


ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના આંકડાઓ મુજબ, ભારતમાં બાર સપ્ટેમ્બર સુધીમાં કોરોનાના 5,62,60,928 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. જ્યારે શનિવારે 10,71,702 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. તમામ રાજ્યોમાં કોરોના ટેસ્ટિંગ સંખ્યા વધારવા પર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

13 September, 2020 11:01 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK