Coronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 60,963 કેસ, 834 દર્દીઓનાં મોત
દેશમાં કોરોના સેમ્પલ ટેસ્ટિંગની સંખ્યામાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે (ફાઈલ તસવીર)
દેશમાં કોરોના વાયરસ (COVID-19)ના દરરોજ નોંધાતા આંકડા એક નવો રેકૉર્ડ બનાવે છે. છેલ્લા બે દિવસથી કોરોનાના કેસમાં આંશિક રાહત મળ્યાં બાદ મંગળવારે ફરી 60,000થી વધુ કોરોના કેસ નોંધાયા છે. બુધવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં 60,963 નવા કેસ નોંધાયા છે અને 834 દર્દીઓના મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ 23,29,639 કેસ નોંધાયા છે. જેમાંથી 6,43,948 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 16,39,600 કોરોનાના દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે અને કુલ 46,901 લોકો મૃત્યુ પામ્યા છે.
મહારાષ્ટ્રમાં છેલ્લા ચોવીસ કલાકમાં 11,088 નવા કેસ નોંધાયા છે અને 256 લોકોના મોત થયા છે. જ્યારે 10,014 લોકો છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો 5,35,601 થઈ ગયો છે. તેમાંથી 1,48,860 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 18,306 લોકો મૃત્યુ પામ્યા છે અને 3,68,435 લોકો સારવાર બાદ સાજા થયા છે.
ADVERTISEMENT
ગુજરાત રાજ્યમાં પણ કોરોનાના આંકડાઓમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં 1,118 નવા કેસ નોંધાયા હતા અને 23 લોકોના મોત થયા હતા. જ્યારે 1,140 દર્દીઓ છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 73,238 થઈ ગયો છે. જેમાંથી 14,125 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 2,697 લોકોના મોત થયા છે અને 56,416 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના આંકડાઓ મુજબ, ભારતમાં અગિયાર ઓગસ્ટ સુધીમાં કોરોનાના 2,60,15,297 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. જ્યારે છેલ્લા ચોવીસ કલાકમાં 7,33,449 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. દેશમાં કોરોના સેમ્પલ ટેસ્ટિંગની સંખ્યામાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે.