Coronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 37,724 કેસ, 648 દર્દીઓનાં મોત
મુંબઈમાં આવેલી સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવીમાં રહેવાસીઓનો ટેસ્ટ કરતા આરોગ્ય કર્મચારીઓ (તસવીર: સુરેશ કારકેરા)
દેશમાં કોરોના વાયરસ (COVID-19) બેકાબૂ થઈ રહ્યો છે. દરરોજ નોંધાતા આંકડા એક નવો રેકૉર્ડ બનાવે છે. ખરેખરે કોરોનાનો કહેર વર્તાયો છે. બુધવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં 37,724 નવા કેસ નોંધાયા છે અને 648 દર્દીઓના મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ 11,92,915 કેસ નોંધાયા છે. જેમાંથી 4,11,133 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 7,53,050 કોરોનાના દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે અને કુલ 28,732 લોકો મૃત્યુ પામ્યા છે.
મહારાષ્ટ્રમાં વધુ એકવાર છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. અહીં છેલ્લા ચોવીસ કલાકમાં 8,336 નવા કેસ નોંધાયા છે અને 246 લોકોના મોત થયા છે. જ્યારે 7,188 લોકો છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો 3,27,031 થઈ ગયો છે. તેમાંથી 1,32,538 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 12,276 લોકો મૃત્યુ પામ્યા છે અને 1,82,217 લોકો સારવાર બાદ સાજા થયા છે.
ADVERTISEMENT
ગુજરાત રાજ્યમાં પણ કોરોનાના આંકડાઓમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં પહેલીવાર સંક્રમિતોનો આંકડો 1,000ને પાર કરી ગયો છે. મંગળવારે સાંજે જાહેર થયેલા આંકડાઓ મુજબ, છેલ્લા ચોવીસ કલાકમાં 1,026 નવા કેસ નોંધાયા હતા અને 34 લોકોના મોત થયા હતા. એક જ દિવસમાં મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા પણ પહેલીવાર આટલી બધી નોંધાઈ હતી. જ્યારે 877 દર્દીઓ છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 50,465 થઈ ગયો છે. જેમાંથી 11,861 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 2,201 લોકોના મોત થયા છે અને 36,403 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના આંકડાઓ મુજબ, ભારતમાં 21 જૂલાઈ સુધીમાં કોરોના વાયરસના કુલ 1,47,24,546 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે છેલ્લા ચોવીસ કલાકમાં એટલે કે, મંગળવારે 3,43,243 ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.