Coronavirus scare: દિલ્હી જમાત મરકઝ હાહાકાર,1200 ક્વોરેન્ટિન,24 પૉઝિટીવ
મરકઝનાં મુદ્દે હાહાકાર મચ્યો છે, લોકો ફસાયેલા છે અને ઘણાંને ક્વોરેન્ટિનમાં મોકલાયા છે. લૉકડાઉનની અવગણના લીધે થઇ સમસ્યા.
દિલ્હીનાં નિઝામુદ્દીન વિસ્તારમાં મરકઝ તબલીગી જમાતની મુખ્ય ઑફિસમાં ૨૦૦થી વધુ લોકોને કોરોનાવાઇરસ પૉઝિટીવ હોવાના સમાચારને પગલે હાહાકાર મચી ગયો છે.ગઇકાલે, સોમવારે દિલ્હી સરકારે ત્યાંન મૌલાના પર તાત્કાલિક કેસ દાખલ કરવાનો હુકમ પણ આપ્યો. મૌલાના પર આરોપ છે કે લૉકડાઉનની જાહેરાત હોવા છતાં પણ તેમણે આટલા મોટા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કર્યું વળી આ માટે કોઇપણ પ્રકારની પરવાનગી લેવામાં નહોતી આવી.આ ધાર્મિક આયોજનમાં અંદાજે 300-400 માણસો હતા અને કોરોના સંક્રમિત થવાની શક્યતાને પગલે 163 જણને દિલ્હીની લોક નાયક હૉસ્પિટલમાં દાખલ કરાયા.હૉસ્પિટલનાં સુત્રો અનુસાર ત્યાં કોરોનાથી સંક્રમિત 174 દર્દીઓ છે જેમાંથી 163 નિઝામુદ્દિન વિસ્તારનાં છે.રવિવારે આવેલા 85 દર્દીઓ હતા અને બાકીનાં 34 સોમવારે દાખલ થયા. મરકઝની ઇમારત ખાલી કરાવવામાં આવી રહી છે.
Delhi: People from Markaz building,Nizamuddin continue to be shifted to hospitals&quarantine centers. Around 1034 people shifted till now-334 to hospitals & 700 to quarantine centers, in at least 34 trips made by buses. 24 people, gathered here,tested positive for #COVID19 so far pic.twitter.com/zJCg7p8r1w
— ANI (@ANI) March 31, 2020
ADVERTISEMENT
હાલમાં મરકઝ ભવનમાંથી 860 શખ્સને હૉસ્પિટલ ભેગા કરાયા છે. હજી બીજા ૩૦૦ જણાને શિફ્ટ કરવાના બાકી છે અને મરકઝ ભવન પર ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે.સોમવારે દિલ્હીમાં કોરોનાના નવા 25 કેસિઝ બહાર આવ્યા જેમાંથી 18 નિઝામુદ્દિન વિસ્તારનાં હતા જે તબ્લિગી મરકઝમાં એકઠા થવાના હતા.અંદામાનમાં કોરોનાનાં 10 કેસ પૉઝિટીવ આવ્યા જેમાંથી 9 જણા દિલ્હીના આ જમાત સેન્ટરમાંથી પોતાને દેશ પાછા ફર્યા હતા. કેજરીવાલે પણ હાલમાં જ આ અંગે રાજ્ય સ્તરીય બેઠક બોલાવી છે.
Delhi CM Arvind Kejriwal and Lieutenant Governor Anil Baijal are holding a meeting via video conferencing over Nizamuddin Markaz issue. Deputy CM Manish Sisodia, Health Minister Satyender Jain and other officials are participating in the meeting. (file pic) #Coronavirus pic.twitter.com/Hu9vMaSsBs
— ANI (@ANI) March 31, 2020
મરકઝ તબલીગીની મુખ્ય કચેરીમાં 1600 જણા ફસાયા હોવાના સમાચાર ગઇ કાલે મોડી રાતથી ચર્ચામાં હતા ત્યારે એ ખાસ નોંધવાનું કે આમાંથી 250 જણા વિદેશી મૂળનાં છે.આ મુખ્યાલય નિઝામુદ્દિન વિસ્તારમાં છે જે બહુ જ ગીચ વસ્તી છે.લૉક ડાઉનની જાહેરાત થઇ ત્યાર બાદ ત્યાં આવેલા ભારતીયો તો પોત પોતાના ઘરે જવા નિકળ્યા હતા પણ અમૂક લોકો વિદેશનાં પણ હતા અને જેમ તેમ કરીને 22 માર્ચ સુધીમાં ઘણાં બધાં ત્યાંથી નીકળી ગયા પણ અંતે 1000-1500 જેટલા ત્યાંજ ફસાયા. મકરઝનું હેડક્વાટર નવ માળનું છે જ્યાં એક સાથે એક સમયે 10 હજાર લોકો સમાઇ શકે છે. શક્ય તેટલા લોકોને અત્યારે આઇસોલેશનમાં રખાયા છે. વળી આઘાતમાં અને દહેશતને કારણે બે વૃદ્ધોનું મોત પણ થઇ ચૂક્યું છે. અહીં ઇન્ડોનેશિયાથી આવેલા 200 જણા, 30 જણ થાઇલેન્ડ અને 10-15 જણા કિર્ગિસ્તાનનાં છે, જો કે વિદેશથી આવેલા અથવા વિદેશીઓનાં સંપર્કમાં આવેલાઓની સંખ્યા વધારે હોઇ જ શકે છે.