Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Coronavirus Outbreak: અમૃતસરમાં પતિ-પત્નીનો કોરોનાના ડરથી આપધાત

Coronavirus Outbreak: અમૃતસરમાં પતિ-પત્નીનો કોરોનાના ડરથી આપધાત

04 April, 2020 01:36 PM IST | Amritsar
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Coronavirus Outbreak: અમૃતસરમાં પતિ-પત્નીનો કોરોનાના ડરથી આપધાત

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર


છેલ્લા ચોવીસ કલાકમાં ભારત દેશમાં કોરોના વાયરસ (COVID-19)ના સૌથી વધુ કેસ નોંધાયા છે. દેશમાં કોરોના સંક્રમિત કેસોનો આંકડો 3,000 ને આંબી ગયો છે. અત્યાર સુધીમાં 68 લોકોનું કોરોનાને લીધે મૃત્યુ થયું છે. પોઝેટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થતો હોવાથી લોકોમાં ભયનું વાતાવરણ ઊભું થયું છે. કોરોનાના ડરથી અમૃતસરમાં એક દંપતીએ આત્મહત્યા કરી લીધી છે અને ડૉક્ટરોએ તેમના મૃતદેહના પોસ્ટમોર્ટમ કરવાનો ઈન્કાર કરી દીધો હતો.

અમૃતસરના બાબા બકાલના સઢીયાલા ગામમાં રહેતા ગુરજિંદર અને તેમની પત્ની બલવિન્દર કૌરે શુક્રવારે આત્મહત્યા કરી હતી. બન્ને જણે સ્યુસાઈડ નોટમાં લખ્યું હતું કે, 'અમે કોરોનાના સંક્રમણે કારણે મરવાનથી માંગતા. અમને ચિંતા છે.' પરિવારજનો મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હૉસ્પિટલ લઈ ગયા ત્યારે ડૉક્ટરોએ ઈન્કાર કરતા તેઓએ મૃતદેહને લઈને ઘરે પાછા ફરવું પડયું હતું. બન્નેએ ઝેરી દવા પી ને આત્મહત્યા કરી હોવાના અહેવાલ છે.



આ પહેલા ગત બુધવારે રાત્રે ઉત્તર પ્રદેશના સહારનપુર જીલ્લામાં 38 વર્ષીય આદેશ સૈનીએ કોરોનાના ડરથી ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

04 April, 2020 01:36 PM IST | Amritsar | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK