Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > લૉકડાઉનના 21 દિવસ પછી ધીરે-ધીરે ખૂલશે ઑફિસોનાં તાળાં

લૉકડાઉનના 21 દિવસ પછી ધીરે-ધીરે ખૂલશે ઑફિસોનાં તાળાં

08 April, 2020 12:44 PM IST | New Delhi
Agencies

લૉકડાઉનના 21 દિવસ પછી ધીરે-ધીરે ખૂલશે ઑફિસોનાં તાળાં

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મોદી સરકાર દ્વારા ૨૧ દિવસ માટે દેશભરમાં કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા માટે લૉકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની અંતિમ તારીખ ૧૪ એપ્રિલ છે. તમામ પ્રધાનોને પણ આગામી ૮ દિવસમાં એ પ્રોજેક્ટસની ઓળખ કરાવવા માટે કહેવામાં આવ્યું છે જેની શરૂઆત કરવામાં આવી શકે. સરકારે આ માટે તમામ પ્રકારનું પેપરવર્ક પૂરું કર્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ સિવાય રોસ્ટર પણ તૈયાર કરવા માટે કહેવાયું છે, જે રીતે લોકો શિફ્ટમાં કામ કરાશે. સાથે જ એ સુનિશ્ચિત કરવા માટે કહેવાયું છે કે ઑડિયો-વિડિયો ટેક્નૉલૉજીનો પણ ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ૨૧ દિવસના લૉકડાઉનથી બહાર આવવું કઠિન છે, જેટલું તેને લાગુ કરવું કઠિન હતું. આગળ તેમણે કહ્યું કે આમ છતાં સરકારના કામકાજને હવે શરૂ કરવું જ પડશે.

જણાવી દઈએ કે એક કમિટીએ એ તમામ વિકલ્પો પર વાત કરી છે, જેમાં ૨૧ દિવસનું લૉકડાઉન પૂરું થયા બાદ કામકાજ શરૂ કરવામાં આવી શકે. સરકારે ખાસ કરીને રોડ અને એજ્યુકેશન સૅકટરમાં થનારા નિર્માણનું કામ શરૂ કરવાની તૈયારીમાં છે. ત્યારે એગ્રિકલ્ચરને પહેલાથી જ લૉકડાઉન દરમ્યાન મુક્તિ આપવામાં આવી છે. લૉકડાઉન લાગુ થયાના થોડા સમય પહેલાં કેન્દ્ર સરકારે લૅન્ડ યુઝમાં બદલાવનું નોટિફિકેશન આપ્યું હતું. હાલના સમયમાં મોદી સરકારના નિર્માણકાર્ય કરનારી સૌથી મહત્વના ટેન્ડર પર કામ કરી રહી છે, જે માર્ચમાં જારી કરવાના હતા. માનવામાં આવી રહ્યું છે કે લૉકડાઉન પૂર્ણ થતાં જ તેમનું કામ શરૂ થઈ જશે.


Whatsapp-channel Whatsapp-channel

08 April, 2020 12:44 PM IST | New Delhi | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK