Coroanvirus Outbreak: મહારાષ્ટ્રમાં 31 જૂલાઇ સુધી લૉકડાઉન લંબાયું
રાજ્યસરકારે સોમવારે જાહેરાત કરી કે લૉકડાઉન 31મી જૂલાઇ સુધી લંબાવાશે
કોરોના વાઇરસ કેસિઝમાં ઉત્તરોઉત્તર થઇ રહેલો વધારો મહારાષ્ટ્ર માટે ચિંતાનો વિષય બની રહ્યો છો અને આ કારણે જ રાજ્યસરકારે સોમવારે જાહેરાત કરી કે લૉકડાઉન 31મી જૂલાઇ સુધી લંબાવાશે. મહારાષ્ટ્રમાં લંબાવાયેલા આ લૉકડાઉન અંગે રાજ્ય સરકારે કહ્યું કે દરેક જિલ્લાના કલેક્ટર્સ અને મ્યુનિસિપલ કોર્પોરેશનનાં વડા અનિવાર્ય નિયમો લાગુ કરશે અને પગલાં લેશે જેથી વિનાકારણ કોઇપણ વ્યક્તિ અવરજવર ન કરે અને વાઇરસનો ફેલાવો અટકી શકે.
The Government of #Maharashtra has issued notification to extend the #lockdown, with amendments to operationalize #MissionBeginAgain for easing of restrictions and phase-wise opening, till 31st July 2020.
— MAHARASHTRA DGIPR (@MahaDGIPR) June 29, 2020
➡️ Read | https://t.co/AKgWt9l3BS pic.twitter.com/WpjuAEkG1a
ADVERTISEMENT
રવિવારે રાજ્યને સંબોધતા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, “એમ ન વિચારશો કે લૉકડાઉનની બંધીઓ 30 જૂન પછી નહીં હોય...Covid 19નો ડર હજી પણ આપણે માથે તોળાય છે અને બધાં જ જરૂરી પગલાં લેવા જ પડશે.” નોવેલ કોરોના વાઇરસ સામે લડત આપવાની અપીલ ઉપરાંત મુખ્યમંત્રીએ કહ્યું કે બધા નાગરિકોએ પોતાની સુરક્ષા કરવી જ રહી અને ચોમાસામાં પોતાની જાતને મલેરિયા અને ડેંગી જેવા રોગથી પણ બચાવવી.