Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કોરોના ઈફેક્ટ: નાગપાડાની ક્વૉરન્ટીન માટેની હોટેલમાં આગ લાગી

કોરોના ઈફેક્ટ: નાગપાડાની ક્વૉરન્ટીન માટેની હોટેલમાં આગ લાગી

22 April, 2020 10:02 AM IST | Mumbai
Mumbai Correspondent

કોરોના ઈફેક્ટ: નાગપાડાની ક્વૉરન્ટીન માટેની હોટેલમાં આગ લાગી

નાગપાડામાં લાગેલી આગ ઓલવી નાખ્યા બાદ કર્મચારીઓ અને રસ્તા પર ઊભા રહેલા ક્વૉરન્ટીન થયેલા દરદીઓ. તસવીર : બિપિન કોકાટે.

નાગપાડામાં લાગેલી આગ ઓલવી નાખ્યા બાદ કર્મચારીઓ અને રસ્તા પર ઊભા રહેલા ક્વૉરન્ટીન થયેલા દરદીઓ. તસવીર : બિપિન કોકાટે.


નાગપાડાના બેલાસિસ રોડ પર આવેલી હોટેલ રિપોનમાં ગઈ કાલે સાંજે ૬.૧૯ વાગ્યે આગ ફાટી નીકળી હતી. ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની હોટેલના પહેલા માળ પર આગ લાગી હતી. હાલમાં જ એ હોટેલને કોરોનાગ્રસ્ત લોકોને ક્વૉરન્ટીન કરવા માટે ઉપયોગમાં લેવાઈ હતી અને એમાં ૨૫ દરદીઓને રાખવામાં આવ્યા હતા. આગ લાગ્યાની જાણ થતાં એ તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવાયા હતા. આ આગમાં બે કર્મચારીઓ રૂમ-નંબર ૩૦૮માં ફસાઈ ગયા હતા તેમને પણ દાદરાના રસ્તે જઈને ફાયરબ્રિગેડના જવાનોએ બચાવી લીધા હતા.


Whatsapp-channel Whatsapp-channel

22 April, 2020 10:02 AM IST | Mumbai | Mumbai Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK