કોરોનાનો કહેર: મુંબઈમાં મૃત્યુઆંક બે, 63 વર્ષના દર્દીનું મૃત્યુ
ફાઈલ તસવીર
કોરોના વાઈરસનો ટેસ્ટ પોઝેટીવ આવનરા 63 વર્ષના વૃધ્ધનું રવિવારે સવારે કસ્તિરબા હૉસ્પિટલમાં મૃત્યુ થયું હોવાની માહિતિ જાહેર આરોગ્ય વિભાગે આપી હતી. COVID-19 ને કારણે મુંબઈમાં બીજી વ્યક્તિનું મૃત્યુ થયું છે.
આજે મૃત્યુ પામનાર વૃધ્ધન ડાયાબિટિસ, હાઈ બ્લડ પ્રેશર અને હૃદય રોગનો દર્દી હતો. તેના મૃત્યુ સાથે જ ભારતમાં કોરોના વાઈરસના દર્દીઓનો મૃત્યુઆંક પાંચ થઈ ગયો છે. ગત મંગળવારે મુંબઈમાં 63 વર્ષના વૃધ્ધનું મૃત્યુ થયું હતું.
ADVERTISEMENT
આ પણ વાંચો: Corona Virus Janata Curfew Update: મુંબઇમાં Covid-19નાં બીજા દર્દીનું મોત
રાજ્યમાં શનિવારે કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા એકાએક વધવા લાગતા ચિંતાનો વિષય બન્યો હતો. શનિવારે મહારાષ્ટ્રમાં 12 નવા કેસ નોંધાયા હતા. જેમાંથી આઠ દર્દીઓ મુંબઈના જ હતા. જ્યારે કલ્યાણ અને યવતમાળ પ્રત્યેકમાંથી એક દર્દી, પુણેમાંથી બે દર્દી નોંધાયા હતા