અમેરિકાથી હરિયાણા પરત ફરેલા 73 મુસાફરોમાંથી 21 કોરોના પૉઝિટિવ
પ્રતીકાત્મક તસવીર
વંદે ભારત મિશન હેઠળ અમેરિકાથી હરિયાણા પાછા ફરેલા ૭૩ લોકોમાંથી ૨૧ લોકોના રિપોર્ટ કોરોના પૉઝિટિવ આવ્યા છે. ૨ મુસાફરોના રિપોર્ટ હજુ શંકાસ્પદ છે. આ વાતની જાણકારી પંચકુલાના મુખ્ય ડૉક્ટર અધિકારીએ આપી છે.
અમેરિકાથી આવેલા તમામ મુસાફરોને પંચકુલામાં ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે. કોરોના પૉઝિટિવ લોકોની ટ્રીટમેન્ટ ચાલી રહી છે. સંપર્કમાં આવનારા લોકોને ક્વૉરન્ટીન કરી દેવાયા છે. અમેરિકાથી આ તમામ ભારતીય ૧૯ મેએ દેશ પહોંચ્યા હતા.
ADVERTISEMENT
જે મુસાફરોના રિપોર્ટ નેગેટિવ છે તેમને પણ ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય વિભાગ તેની પર નજર રાખી રહ્યા છે. ૧૪ દિવસ સુધી ક્વૉરન્ટીન રહ્યા બાદ જ તેમને ઘરે જવા દેવામાં આવશે. અમેરિકા કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત દેશ છે. એવામાં ત્યાંથી આવેલા લોકો પર સ્વાસ્થ્ય વિભાગ નજર રાખી રહ્યું છે.
હરિયાણામાં કોરોના વાઇરસ સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે. કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને ૧૦૬૭ થઈ ગઈ છે. કોરોનાથી સાજા થઈ ચૂકેલા લોકોની સંખ્યા ૭૦૬ છે ત્યાં હરિયાણામાં ૧૬નાં મોત નીપજ્યાં છે.