સોનિયા ગાંધીને હાથ જોડીને અપીલ, રાજનીતિ ન કરે, જવાબદારી સમજે
નિર્મલા સીતારમણન
પ્રવાસી મજૂરોના મુદ્દા પર આપણે મળીને કામ કરવું પડશે અને હું સોનિયા ગાંધીને હાથ જોડીને અપીલ કરું છું કે આ મુદ્દા પર રાજનીતિ ન કરે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે રાહત પૅકેજની જાહેરાત કરતાં ચાલીને ઘરે જઈ રહેલા પ્રવાસી મજૂરોના મુદ્દા પર વિપક્ષ પર હુમલો કર્યો છે. તેમણે રાહુલ ગાંધીની તે તસવીર પર પણ સવાલ ઉઠાવ્યા જેમાં તેઓ રસ્તા પર બેસીને પ્રવાસી મજૂરો સાથે વાત કરી રહ્યા છે. નિર્મલાએ કહ્યું કે રાહુલે આમ કરીને મજૂરોનો સમય ખરાબ કર્યો છે.
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું વિપક્ષી પાર્ટીઓને કહેવા ઇચ્છું છું કે પ્રવાસી મજૂરોના મુદ્દા પર આપણે સાથે મળીને કામ કરવું પડશે. તમામ રાજ્ય સરકારોની સાથે મળીને કામ કરી રહ્યાં છીએ. હાથ જોડીને સોનિયા ગાંધીને કહું છું કે અમારી સાથે વાત કરે અને પ્રવાસી મજૂરો પ્રત્યે પોતાની જવાબદારી સમજે.
ADVERTISEMENT
નિર્મલા સીતારમણને પ્રવાસી મજૂરો સાથે જોડાયેલો એક સવાલ પૂછવામાં આવ્યો કે પીડીએસ અને મનરેગા હેઠળ જે જાહેરાત થઈ છે તેનો ફાયદો પ્રવાસી મજૂરો પોતાના ઘરે પહોંચીને ઉઠાવી શકશે. પરંતુ મોટા ભાગના લોકો હજુ રસ્તામાં છે. તેના પર નાણાપ્રધાન આક્રમક થઈ ગયા હતા. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે મજૂરોને અપીલ કરી હતી કે તે લોકો ત્યાં રહે જ્યાં પર છે. સરકાર તેના ભોજન માટે દરેક પ્રયાસ કરી રહી છે. તેમણે કહ્યું, પરંતુ જ્યારે મજૂર લોકો ઘરે જવા ઇચ્છતા હતા તો કેન્દ્ર અને રેલવેએ ટ્રેન ચલાવવાની જાહેરાત કરી હતી. રેલવેએ સ્પષ્ટ કહ્યું કે ટ્રેન તૈયાર છે, જે રાજ્ય જેટલી ટ્રેન માગશે તેટલી આપવામાં આવશે.
નિર્મલાએ આરોપ લગાવ્યો કે કૉન્ગ્રેસશાસિત અને જે રાજ્યોમાં તેના સહયોગીઓની સરકાર છે ત્યાં રાજનીતિ થઈ રહી છે અને ટ્રેનો માટે કહેવામાં આવી રહ્યું નથી. નિર્મલાએ કહ્યું કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીઅે કૉન્ગ્રેસશાસિત રાજ્યોને નિર્દેશ આપવો જોઈએ કે તે ટ્રેન મગાવે.
રાહુલ ગાંધીની મજૂરોની સાથે બેસીને વાત કરવાની તસવીર પર નાણાપ્રધાને કટાક્ષ કર્યો છે. જાહેરાત કર્યા બાદ પત્રકાર પરિષદમાં નાણાપ્રધાને કહ્યું કે કૉન્ગ્રેસ પાર્ટી રાહત પૅકેજ પીસીને ડ્રામા ગણાવે છે પરંતુ અસલી ડ્રામેબાજ તો તે ખુદ છે. તેમણે કહ્યું, રાહુલ ગાંધી રસ્તા પર બેસીને મજૂરો સાથે વાત કરી તેમનો સમય બરબાદ કરી રહ્યા હતા. તેનાથી સારું હોત કે તેમનાં બાળકો, સૂટકેસને ઉપાડીને સાથે ચાલત.