Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Coronavirus Lockdown: દેશમાં વસ્તી ગણતરી અને NPRની કામગીરી પણ ટળી

Coronavirus Lockdown: દેશમાં વસ્તી ગણતરી અને NPRની કામગીરી પણ ટળી

26 March, 2020 07:22 PM IST | Delhi
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

Coronavirus Lockdown: દેશમાં વસ્તી ગણતરી અને NPRની કામગીરી પણ ટળી

Coronavirus Lockdown: દેશમાં વસ્તી ગણતરી અને NPRની કામગીરી પણ ટળી


દેશભરમાં લૉકડાઉનની ઘોષણા થઇ હોવાને કારણે રાષ્ટ્રીયજન સંખ્યા રજિસ્ટર એટલે કે નેશનલ પૉપ્યુલેશન રજિસ્ટરની કામગીરી અને વસ્તીગણતરી – ૨૦૨૧ની કામગીરી ટાળવામાં આવી છે. હાલ પુરતી આ અંગેની કામગીરી સરકાર દ્વારા નહીં કરવામાં આવે તેવી જાહેરાત કરાઇ છે. અમુદ્દત સુધી મોકૂફ રખાયેલી આ કામગીરીનો પહેલો તબક્કો ૩૦ સપ્ટેમ્બર સુધીમાં પુરો થવાનો હતો.

કેન્દ્રિય મંત્રાલયનાં એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે વર્તમાન સંજોગોને જોતા એનપીઆર અને જનગણનાની કામગીરીને નવો હુકમ ન આવે ત્યાં સુધી ટાળવામાં આવી છે.  મૂળ તો ૧લી એપ્રિલથી આને લગતી કામગીરી શરૂ થવાની હતી. આમ પણ ઘણાં રાજ્યો એનપીઆરનો વિરોધ કરી રહ્યા હતા અને કેટલીક રાજ્ય સરકારો તે આ કવાયતને મામલે વિરોધપ્રસ્તાવ પણ તૈયાર કર્યો હતો. કેરળ, બંગાળ, પંજાબ, રાજસ્થાન, બિહાર અને છત્તિસગઢ આ રાજ્યોમાં સમાવિષ્ટ હતા. જો કે તમામ રાજ્યો વસ્તીગણતરીને લગતી કામગીરીને લઇને સહાય કરવા તૈયાર હતા.


Whatsapp-channel Whatsapp-channel

26 March, 2020 07:22 PM IST | Delhi | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK