Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કર્ણાટકમાં તમામ દુકાનો ખૂલશે : રિક્ષા, ટૅક્સી, બસ અને ટ્રેનો દોડશે

કર્ણાટકમાં તમામ દુકાનો ખૂલશે : રિક્ષા, ટૅક્સી, બસ અને ટ્રેનો દોડશે

19 May, 2020 09:09 AM IST | Bangalore
Agencies

કર્ણાટકમાં તમામ દુકાનો ખૂલશે : રિક્ષા, ટૅક્સી, બસ અને ટ્રેનો દોડશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કેન્દ્રએ રાજ્ય સરકારોને સ્થિતિ પ્રમાણે લૉકડાઉન ૪.૦માં છૂટછાટ અને પ્રતિબંધો લગાવવા વિશે જણાવ્યું છે જેમાં કર્ણાટકે મોટી છૂટછાટ આપવાનો નિર્ણય લીધો છે. લૉકડાઉન ૪.૦માં કર્ણાટકે રોડવેઝ અને પ્રાઇવેટ બસોને ચલાવવાની મંજૂરી આપી છે. જોકે કન્ટેઇનમેન્ટ ઝોનમાં પ્રતિબંધો લાગુ રહેશે. રાજ્યના મુખ્ય પ્રધાન બી.એસ. યેદિયુરપ્પાએ કહ્યું કે મહારાષ્ટ્ર, ગુજરાત, કેરળ અને તામિલનાડુના લોકોને ૩૧ મે સુધી કર્ણાટકમાં આવવાની મંજૂરી નહીં મળે.

રાજ્યના મુખ્ય પ્રધાને કહ્યું છે કે લૉકડાઉન ૪મા રાજ્યની અંદર રોડવેઝ અને પ્રાઇવેટ બસોના સંચાલકોને મંજૂરી છે. તેમણે જણાવ્યું કે બસોમાં એક વારમાં માત્ર ૩૦ મુસાફરોને જ મુસાફરીની મંજૂરી આપવામાં આવશે. માસ્ક પહેરવા અને સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું સૌના માટે જરૂરી હશે. બસનું ભાડું નહીં વધારવામાં આવે. આંતરરાજ્ય પરિવહનને મંજૂરી આપવામાં નહીં આવે, માત્ર મુશ્કેલ સ્થિતિમાં જ એની મંજૂરી આપવામાં આવશે. આ રીતે ઑટો અને ટૅક્સીને પણ ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે પણ એમાં ડ્રાઇવર સહિત મળીને માત્ર ત્રણ લોકો જ સવાર થઈ શકશે.


Whatsapp-channel Whatsapp-channel

19 May, 2020 09:09 AM IST | Bangalore | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK