Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > નવી દિલ્હી : 10 દિવસમાં 36 લાખ લોકો 2600 ટ્રેનમાં મુસાફરી કરશે

નવી દિલ્હી : 10 દિવસમાં 36 લાખ લોકો 2600 ટ્રેનમાં મુસાફરી કરશે

24 May, 2020 01:52 PM IST | New Delhi
Agencies

નવી દિલ્હી : 10 દિવસમાં 36 લાખ લોકો 2600 ટ્રેનમાં મુસાફરી કરશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


લૉકડાઉન દરમ્યાન રેલવેએ ગઈ કાલે મુસાફરો અને પરપ્રાંતીય મજૂરોના વાહનવ્યવહાર વિશે માહિતી આપી હતી. રેલવેએ જણાવ્યું હતું કે લૉકડાઉન દરમ્યાન અત્યાર સુધીમાં ૪૫ લાખ લોકો શ્રમિક ટ્રેનમાં મુસાફરી કરી ચૂક્યા છે. આમાં ૮૦ ટકા યુપી અને બિહારના લોકો હતા. રેલવે બોર્ડના અધ્યક્ષ વિનોદકુમાર યાદવે કહ્યું કે આગામી ૧૦ દિવસમાં ૩૬ લાખ મુસાફરો ૨૬૦૦ ટ્રેનોમાં મુસાફરી કરશે.

રેલવે બોર્ડના અધ્યક્ષ વિનોદકુમાર યાદવે કહ્યું કે પહેલી મેથી, પરપ્રાંતીય મજૂરોને શ્રમિક ટ્રેનો દ્વારા તેમના ઘરે લઈ જવામાં આવી રહ્યા છે. તેમને ટ્રેનમાં મફત ખોરાક અને પાણી આપવામાં આવી રહ્યું છે. આ સમય દરમ્યાન સોશ્યલ ડિસ્ટન્સિંગ અને અન્ય સાવચેતીનાં પગલાં લેવાઈ રહ્યાં છે.



તમામ બુકિંગ કાઉન્ટરો ખોલવા આદેશ કરાયો છે. હજી સુધી ૧૦૦૦ કાઉન્ટરો ખોલવામાં આવ્યા છે. ૬૦૦૦ રેલવે સ્ટેશનોમાં રેલવે સ્ટોલ ખોલવા પણ કહેવામાં આવ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

24 May, 2020 01:52 PM IST | New Delhi | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK