નવી દિલ્હી : 10 દિવસમાં 36 લાખ લોકો 2600 ટ્રેનમાં મુસાફરી કરશે
પ્રતીકાત્મક તસવીર
લૉકડાઉન દરમ્યાન રેલવેએ ગઈ કાલે મુસાફરો અને પરપ્રાંતીય મજૂરોના વાહનવ્યવહાર વિશે માહિતી આપી હતી. રેલવેએ જણાવ્યું હતું કે લૉકડાઉન દરમ્યાન અત્યાર સુધીમાં ૪૫ લાખ લોકો શ્રમિક ટ્રેનમાં મુસાફરી કરી ચૂક્યા છે. આમાં ૮૦ ટકા યુપી અને બિહારના લોકો હતા. રેલવે બોર્ડના અધ્યક્ષ વિનોદકુમાર યાદવે કહ્યું કે આગામી ૧૦ દિવસમાં ૩૬ લાખ મુસાફરો ૨૬૦૦ ટ્રેનોમાં મુસાફરી કરશે.
રેલવે બોર્ડના અધ્યક્ષ વિનોદકુમાર યાદવે કહ્યું કે પહેલી મેથી, પરપ્રાંતીય મજૂરોને શ્રમિક ટ્રેનો દ્વારા તેમના ઘરે લઈ જવામાં આવી રહ્યા છે. તેમને ટ્રેનમાં મફત ખોરાક અને પાણી આપવામાં આવી રહ્યું છે. આ સમય દરમ્યાન સોશ્યલ ડિસ્ટન્સિંગ અને અન્ય સાવચેતીનાં પગલાં લેવાઈ રહ્યાં છે.
ADVERTISEMENT
તમામ બુકિંગ કાઉન્ટરો ખોલવા આદેશ કરાયો છે. હજી સુધી ૧૦૦૦ કાઉન્ટરો ખોલવામાં આવ્યા છે. ૬૦૦૦ રેલવે સ્ટેશનોમાં રેલવે સ્ટોલ ખોલવા પણ કહેવામાં આવ્યું છે.