Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > બ્રાઝિલના માનૌસમાં એક જ દિવસમાં કોરોનાથી 100 લોકોનાં મોત

બ્રાઝિલના માનૌસમાં એક જ દિવસમાં કોરોનાથી 100 લોકોનાં મોત

26 April, 2020 12:04 PM IST | Manaus
Agencies

બ્રાઝિલના માનૌસમાં એક જ દિવસમાં કોરોનાથી 100 લોકોનાં મોત

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


બ્રાઝિલનું માનૌસ શહેર હાલના સમયમાં ‘વુહાન’ બની ચૂક્યું છે. માનૌસની વસ્તી લગભગ ૨૪ લાખ છે, પરંતુ બ્રાઝિલના સૌથી વધારે કોરોના સંક્રમિત દરદી અહીં જ છે. અત્યાર સુધીમાં અહીં રોજ ૨૦થી ૩૦ કોરોના સંક્રમિતોનાં મોત થઈ રહ્યાં હતાં, પરંતુ હવે આ આંકડો ૧૦૦ સુધી પહોંચી ગયો છે. સ્થિતિ એવી બની છે કે મૃતકોની લાશ દફનાવવા માટે પણ જગ્યા નથી. એવામાં સ્થાનિક પ્રશાસને જેસીબીથી સામૂહિક કબર ખોદાવડાવી છે, જ્યાં લાશોને એકસાથે દફનાવી શકાય.

હૉસ્પિટલથી કબરસ્તાન લઈ જવા અને અંતિમ સંસ્કાર કરનારાઓ પણ ઓછા છે. એટલા માટે ટ્રૅક્ટરથી લાશ પહોંચાડવામાં આવી રહી છે. કબ્રસ્તાનમાં ઘણા કર્મચારીઓ તહેનાત છે જે જેસીબીની મદદથી લાશને દફનાવે છે. મોતનો આંકડો વધતાં કર્મચારીઓ પણ લાશની રાહ જોતા જોવા મળ્યા હતા.
માનૌસના મેયર આર્થર વિલિજિયો નીટોએ કહ્યું કે દેશમાં ૫૦,૦૦૦ લોકો સંક્રમિત છે, જ્યારે ૩૩૦૦નાં મોત થયાં છે.



સ્થાનિક મીડિયાના જણાવ્યા પ્રમાણે બ્રાઝિલમાં સૌથી વધારે કોરોના સંક્રમિત લોકો માનૌસમાં જ છે. સ્થિતિ એવી છે કે મૃતકોને દફનાવવા માટે કર્મચારી તહેનાત કરાયા છે.


Whatsapp-channel Whatsapp-channel

26 April, 2020 12:04 PM IST | Manaus | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK