Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > દહિસરના સ્લમમાં 15 દિવસમાં કોરોનાનો એક પણ નવો કેસ નહીં

દહિસરના સ્લમમાં 15 દિવસમાં કોરોનાનો એક પણ નવો કેસ નહીં

29 July, 2020 07:28 AM IST | Mumbai
Pallavi Smart

દહિસરના સ્લમમાં 15 દિવસમાં કોરોનાનો એક પણ નવો કેસ નહીં

રહેવાસીઓ

રહેવાસીઓ


દહિસર (વેસ્ટ)ના ગીચ એવા ગણપત પાટીલનગરમાં પહેલાં રોજના પાંચથી છ કેસ નોંધાતા હતા પણ ત્યાર બાદ સતતના પ્રયાસો લેવાયા અને ડોર-ટુ-ડોર સર્વે પણ કરાયો અને ૧૫ દિવસ કમ્પ્લીટ લૉકડાઉન કરાયા બાદ હવે પરિસ્થિતિમાં ઘણો જ સુધારો જણાયો છે. છેલ્લા પંદર દિવસમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. એથી હવે મેઇન લિન્ક રોડ પણ ખોલી દેવાયો છે. જોકે એમ છતાં કોરોના ફરી ઊથલો ન મારે એ માટે હજી આખા વિસ્તારમાં કન્ટેનમેન્ટ ઝોનના નિયમોનું પાલન ચાલુ જ છે.

આર-નૉર્થના ભૂતપૂર્વ નગરસેવક અભિષેક ઘોસાળકરે કહ્યું હતું કે ‘દહિસરની આ સૌથી મોટી ગીચ ઝૂંપડપટ્ટીમાં ૧૦,૦૦૦ પરિવાર અંદાજે ૫૦,૦૦૦ લોકો વસવાટ કરે છે. ે આ મુંબઈની પહેલી ઝૂંપડપટ્ટી હતી જ્યાં પહેલી વાર સેરો સર્વે કરાયો હતો. ત્યાંના રહેવાસીઓએ પણ અમને બહુ જ સહકાર આપ્યો હતો’



આ પણ વાંચો : કૅનન પાંઉભાજીમાંથી 100 કિલો માખણ અને ચીઝની ચોરી


મુંબઈ મહાનગરપાલિકાના આર-નૉર્થનાં વૉર્ડ-ઑફિસર સંધ્યા નાંદેડકરે કહ્યું હતું કે ‘એ વિસ્તાર હજી કન્ટેનમેન્ટ ઝોનના લિસ્ટમાંથી બહાર નથી મુકાયો પણ એમ છતાં મેઇન લિન્ક રોડ ખોલી દેવાયો છે. પહેલાં રોજના અહીં પાંચથી છ કેસ આવતા હતા..’


Whatsapp-channel Whatsapp-channel

29 July, 2020 07:28 AM IST | Mumbai | Pallavi Smart

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK