ચીનના વૈજ્ઞાનિકનો દાવો, વેક્સિન વગર ખતમ થઈ શકશે કોરોનાની મહામારી
પ્રતીકાત્મક તસવીર
કોરોના વાઇરસને ફેલાવનાર દેશ ચીનમાં એક લેબોરેટરીમાં એવી દવા વિકસિત કરવામાં આવી રહી છે જેના વિશે દાવો કરવામાં આવ્યો છે કે કોરોના વાઇરસ મહામારીને રોકી શકે છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે વેક્સિન વગર કોરોનાની સારવાર શક્ય થઈ શકે છે.
દુનિયાભરમાં ફેલાતાં પહેલાં ગયા વર્ષના અંતમાં ચીનમાં આ પ્રકોપ સામે આવ્યો હતો, ત્યારબાદ તેની સારવાર અને વેક્સિન શોધવા માટે દુનિયાભરના દેશ લાગી ગયા છે. શોધકર્તાઓનું કહેવું છે કે ચીનની પ્રતિષ્ઠિત પેકિંગ યુનિવર્સિટીમાં વૈજ્ઞાનિકો દ્વારા ટ્રાયલ કરવામાં આવી રહેલી દવા સંક્રમિત લોકોને રિકવરિંગ સમયને ઓછો કરે છે ઉપરાંત વાઇરસથી શોર્ટ ટર્મ ઇમ્યુનિટી પણ આપી શકે છે.
ADVERTISEMENT
યુનિવર્સિટીના બીજિંગ એડવાન્સ્ડ ઇનોવેશન સેન્ટર ફોર જીનોમિક્સના નિર્દેશક સુનીની ઝીએ જણાવ્યું કે ટ્રાયલ ફેઝમાં દવા પશુ પર સફળ રહી છે. ઝીએ જણાવ્યું કે જ્યારે અમે સંક્રમિત ઉંદરોમાં ન્યૂટ્રલાઇજિંગ એન્ટિબોડીઝને ઇન્જેક્ટ કરી તો પાંચ દિવસ બાદ વાઇરસ લોડ ૨૫૦૦ પરિબળથી પણ ઓછો થઈ ગયો. તેનો અર્થ છે કે આ સંભવિત દવાનો રોગનિવારક પ્રભાવ છે. બીમારીની સંભવિત સારવાર અને રિકવર થવાનો સમય ઓછો. દવા વાઇરસને સંક્રમિત કરનારી કોશિકાઓને રોકવા માટે માનવ પ્રતિરક્ષા પ્રણાલી દ્વારા ઉત્પાદિત એન્ટિબોડીઝને અસર વગરની કરનારી એન્ટિબોડીનો ઉપયોગ કરે છે. જેમ કે ઝીની ટીમે ૬૦ દરદીઓના લોહીથી અલગ કર્યા. સાયન્ટિસ્ટ જર્નલ સેલમાં રવિવારે પ્રકાશિત ટીમના રીસર્ચ પર એક અધ્યયનમાં જણાવાયું કે એન્ટિબોડીનો ઉપયોગ કરવાથી બીમારીની સંભવિત સારવાર થાય છે અને રિકવર થવાનો સમય ઓછો થઈ જાય છે.