Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ: ધારાવીમાં સોમવારે પ્લાઝમા થેરપી કૅમ્પ યોજાશે

મુંબઈ: ધારાવીમાં સોમવારે પ્લાઝમા થેરપી કૅમ્પ યોજાશે

23 July, 2020 07:06 AM IST | Mumbai
Urvi Shah Mestry

મુંબઈ: ધારાવીમાં સોમવારે પ્લાઝમા થેરપી કૅમ્પ યોજાશે

પ્લાઝમા થેરપી

પ્લાઝમા થેરપી


એશિયાના સૌથી મોટા સ્લમ એરિયા ધારાવીમાં સોમવાર ૨૭ જુલાઈએ સવારે ૧૦ વાગ્યે પ્લાઝમા ડોનેશન કૅમ્પનું આયોજન કરવામાં આવશે. ઓછામાં ઓછા ૫૦૦ લોકો પ્લાઝમા ડોનેશન કરવાનો ટાર્ગેટ છે. પ્લાઝમા એ કોરોના કૅર સેન્ટરમાંથી ઠીક થયેલા લોકો કે જેમને ડાયાબિટિઝ કે અન્ય કોઈ બીમારી ન હોય એવા સ્વસ્થ લોકો ૨૮ દિવસ પછી બ્લડને ડોનેટ કરી શકે છે. કોરોના સંક્રમિત દર્દીઓને પ્લાઝમા ચઢાવવાથી તેમની રોગ પ્રતિકારકશક્તિ વધે છે.

આ પણ વાંચો : મુલુંડસ્થિત કોવિડ સેન્ટર કાર્યરત થયું,પણ 215 ICU બેડ હજી તૈયાર નથી થયા



પ્લાઝમા ડોનેશન કૅમ્પના આયોજનમાં મહત્વનો ભાગ ભજવનાર શિવસેનાના રાહુલ શેવાળે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કૂપર હૉસ્પિટલ, નાયર, કેઈએમ વગેરે હૉસ્પિટલના ડૉક્ટર પ્લાઝમા કાઢવાનું કામ કરશે. હાલમાં ધારાવીમાં સ્ક્રીનિંગ ચાલુ છે. જે લોકો કોઈ બીમારીથી પીડિત નથી અને સ્વસ્થ છે એવા લોકોનું ૨૭ જુલાઈએ પ્લાઝમા લેવામાં આવશે.’ જી વૉર્ડના વૉર્ડ ઑફિસર કિરણ દિઘાવકરે ‘મિડ-ડે’ને કહ્યું હતુ કે ધારાવીના લોકોએ પોતાને તો રિકવર કરી જ લીધું છે. હવે તેઓ પ્લાઝમા થેરપીથી આખા મુંબઈને ઠીક કરશે.


Whatsapp-channel Whatsapp-channel

23 July, 2020 07:06 AM IST | Mumbai | Urvi Shah Mestry

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK