Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કલ્યાણના વેપારીના પરિવારના 31 સભ્યો કોરોના-પૉઝિટિવ

કલ્યાણના વેપારીના પરિવારના 31 સભ્યો કોરોના-પૉઝિટિવ

06 September, 2020 07:32 AM IST | Mumbai
Mumbai correspondent

કલ્યાણના વેપારીના પરિવારના 31 સભ્યો કોરોના-પૉઝિટિવ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કલ્યાણના જોશીબાગ ખાતે એક જ ઇમારતમાં રહેતા વેપારીના પરિવારના ૩૧ સભ્યોને કોરોના-પૉઝિટિવ હોવાનું બહાર આવ્યું છે. તેઓમાંથી૧ ૩ જણને એ. ઍન્ડ જી. હૉસ્પિટલમાં જ્યારે ૧૭ જણને મેટ્રો હૉસ્પિટલમાં ઍડ્મિટ કરીને સારવાર અપાઈ રહી છે.

જોશીબાગમાં એ સંયુક્ત વેપારી પરિવાર એક જ મકાનમાં રહે છે, જેમાં ઉપર-નીચે આવેલા ફ્લૅટ્સમાં પાંચ ભાઈઓ, તેમનાં ૭ સંતાનો, પુત્રવધૂઓ અને પૌત્ર-પૌત્રી મળીને ૩૪ જણનો પરિવાર રહે છે. એવું કહેવાય છે કે ગણેશોત્સવ દરમ્યાન આ પરિવારના સભ્યો એકસાથે જ આરતી-પૂજા વખતે ભેગા થતા હતા અને સાથે જ જમતા હતા. કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશન (કેડીએમસી)ના ડૉક્ટર અશ્વિની પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ૨૮ ઑગસ્ટે તેમના ૪૦ વર્ષના એક સભ્યને કેરોનોનાં લક્ષણ દેખાતાં ટેસ્ટ કરાવી હતી અને તેનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો. એ પછી તેમના પરિવારના અન્ય ૩૩ સભ્યોની કોરોના-ટેસ્ટ કરાઈ હતી જેમાં ૩૦ જણના રિપોર્ટ પૉઝિટિવ આવ્યા હતા, જ્યારે ૩ જણના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.’



ડૉક્ટર અશ્વિની પાટીલે કહ્યું કે ‘એક જ ઇમારતમાં રહેતા પરિવારના એકસાથે આટલાબધા સભ્યોને કોરોના થયો હોવાનું જણાતાં અમે તરત જ સાવચેતીનાં પગલાં લીધાં હતા અને ૨૯ ઑગસ્ટે તથા ૩૧ ઑગસ્ટે એ વિસ્તારમાં કોરોના-ટેસ્ટિંગના કૅમ્પ લીધા હતા, એટલું જ નહીં, ૩૦ ઑગસ્ટથી એ વિસ્તારમાં સતત સર્વે થઈ રહ્યો છે જેમાં ૧૦૦૦ કરતાં વધુ ઘરે જઈને લોકોનું થર્મલ ગનથી ટેમ્પરેચર ચેક કરાયું છે.’


Whatsapp-channel Whatsapp-channel

06 September, 2020 07:32 AM IST | Mumbai | Mumbai correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK