Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતમાં ઉત્તરાણને પણ નડશે કોરોના

ગુજરાતમાં ઉત્તરાણને પણ નડશે કોરોના

04 January, 2021 03:12 PM IST | Gandhinagar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગુજરાતમાં ઉત્તરાણને પણ નડશે કોરોના

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


અમદાવાદમાં રામદેવનગરસ્થિત સેવાભાવી સંસ્થા ‘સદવિચાર’માં મોક્ષવાહિની રથનું લોકાર્પણ કરવા આવેલા નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કોરોના વૅક્સિનેશન અને ઉત્તરાયણની ઉજવણી અંગે મહત્ત્વપૂર્ણ વાતચીત કરી હતી. ઉત્તરાયણની ઉજવણી અંગે નાયબ મુખ્ય પ્રધાને કહ્યું કે કોરોનાને લઈને રાજ્ય સરકારે રાજ્યની ઓળખ સમાન પતંગ મહોત્સવ ન ઊજવવાનું નક્કી કર્યું છે. તેમ છતાં, નાગરિકો ઉત્તરાયણ ઊજવી શકે એ માટે જરૂરી છૂટછાટ અંગે કૉર ગ્રુપની બેઠકમાં ચર્ચા કરી યોગ્ય નિર્ણય લેવાશે તેમ જ પતંગ ચગાવવાને લઈને પણ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવશે. લોકો પોતાના ઘર કે ધાબા પરથી કેવી રીતે પતંગ ઉડાવી શકે અને કેટલા લોકો ભેગા થઈ શકે એની જાહેરાત કરશે.

ધાબાઓ પર કે પોળોમાં ૫૦ લોકો ભેગા થઈ પતંગ ઉડાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં.


Whatsapp-channel Whatsapp-channel

04 January, 2021 03:12 PM IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK