Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > રેલવે સ્ટેશનો પર પણ માસ્ક્સ, ફેસ-શિલ્ડ, સૅનિટાઇઝર્સનું વેચાણ થશે

રેલવે સ્ટેશનો પર પણ માસ્ક્સ, ફેસ-શિલ્ડ, સૅનિટાઇઝર્સનું વેચાણ થશે

07 July, 2020 08:10 AM IST | Mumbai
Rajendra B Aklekar

રેલવે સ્ટેશનો પર પણ માસ્ક્સ, ફેસ-શિલ્ડ, સૅનિટાઇઝર્સનું વેચાણ થશે

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


માસ્ક, ફેસ-શિલ્ડ અને સૅનિટાઇઝર જેવી કોવિડ-19 સામે રક્ષણ આપતી સલામતીની સામાન્ય સામગ્રી હવે રેલવે સ્ટેશનના સ્ટૉલ્સ ખાતે ફિક્સ રેટ પર વેચાશે અને ટ્રેન-સેવા શરૂ થયા બાદ આ સામગ્રી મહત્વનાં સ્ટેશનો પર ઉપલબ્ધ થશે. એના કારણે શહેર બહાર જનારા અને શહેરમાં પ્રવેશી રહેલા પ્રવાસીઓને પણ મદદ મળી રહેશે. અત્યારે ભારતભરમાં આશરે ૨૩૦ પૅસેન્જર ટ્રેનો કાર્યરત છે અને મુંબઈમાં બન્ને લાઇન પર ૭૦૦ સબર્બન ટ્રેનો કાર્યરત છે.

નૅશનલ રેલવે યુઝર્સ કન્સલ્ટેટિવ કમિટીના સભ્ય સુભાષ એચ. ગુપ્તાના જણાવ્યા અનુસાર ‘આ સમય નફો રળવાનો નથી. રેલવે અધિકારીઓએ આ પ્રકારની કિટ્સ તથા ચીજવસ્તુઓના વેચાણની પરવાનગી આપી એ એક આવકારદાયક પગલું છે, કારણ કે હવે આ ચીજો મહત્વપૂર્ણ વસ્તુઓની શ્રેણીમાં આવે છે અને સ્વરક્ષણ માટે તેમ જ પ્રવાસ કરી રહેલા સમુદાયના રક્ષણ માટે આ ચીજો સાથે રાખવી અથવા પહેરવી જરૂરી છે.’


Whatsapp-channel Whatsapp-channel

07 July, 2020 08:10 AM IST | Mumbai | Rajendra B Aklekar

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK