Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > કોરોના વાઇરસનું સંક્રમણ હવાથી ફેલાતું નથી :જિનિવા

કોરોના વાઇરસનું સંક્રમણ હવાથી ફેલાતું નથી :જિનિવા

30 March, 2020 11:56 AM IST | Mumbai Desk

કોરોના વાઇરસનું સંક્રમણ હવાથી ફેલાતું નથી :જિનિવા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કોરોના વાઇરસનો પ્રકોપ ઝડપથી આખી દુનિયામાં ફેલાઈ રહ્યો છે. દુનિયાભરમાં અત્યાર સુધીમાં ૬.૫૦ લાખથી વધુ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને ૩૦,૦૦૦થી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. માત્ર ભારતમાં જ કોરોનાના સંક્રમણનો આંકડો ૧૦૦૦ની નજીક પહોંચી ગયો છે અને ૨૦ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. દુનિયાભરની સરકારો બચાવના તમામ ઉપાયો કરી રહી છે. ભારતમાં પણ લૉકડાઉન કરી દીધું છે. જાગૃતતા પણ ફેલાવી રહ્યા છે, પરંતુ સાથોસાથ કેટલાય પ્રકારની અફવાઓ પણ ફેલાવી રહ્યા છે. એક એવી જ અફવા છે કે કોરોના વાઇરસ હવાથી ફેલાય છે જેનું વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ખંડન કર્યું છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને સ્પષ્ટતા કરી છે કે કોરોના વાઇરસ માત્ર એક સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવતા ફેલાય છે. તેમણે કહ્યું કે કોરોના વાઇરસનું સંક્રમણ હવાથી ફેલાતું નથી, એ માત્ર થૂંકના કણોથી જ ફેલાય છે. આ કણ કફ, છીંક અને બોલવાથી શરીરમાંથી બહાર નીકળે છે. થૂંકના કણ એટલા હલકા નથી હોતા જે હવાની સાથે અહીંથી ત્યાં ઊડી જાય. એ ખૂબ જ ઝડપથી જમીન પર પડી જાય છે. - વિશ્વ આરોગ્ય સંસ્થાનો ખુલાસો


Whatsapp-channel Whatsapp-channel

30 March, 2020 11:56 AM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK