બોરીવલી-વેસ્ટમાં એસવી રોડ પર આવેલી જવાનનગર કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં આવેલી સદગુરુ ફાસ્ટ ફૂડ શૉપમાં શનિવારે દસ-સવાદસ વાગ્યાની આસપાસ કુકર ફાટ્યું હતું. જોકે એમાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ એનો બૉમ્બધડાકા જેવો અવાજ હતો. આસપાસના પરિસરમાં લોકો ભયભીત થઈ ગયા હતા અને તરત જ તેમનાં ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા.
સોસાયટીના સેક્રેટરી ચેતન શાહ અને ટ્રેઝરર બિપિન શાહે કહ્યું હતું કે ‘અમારી સોસાયટીમાં છેલ્લાં ઘણાં વર્ષોથી ફાસ્ટ ફૂડની શૉપ ચાલે છે. ત્યાં ફ્રૅન્કી, ઢોસા વગેરે બનાવવામાં આવે છે. કુકર ફાટવાની ઘટનામાં સદ્ભાગ્યે કોઈ જાનહાનિ ન થઈ, પરંતુ લોકોની સલામતી અને સુરક્ષા માટે સોસાયટીના રહેવાસીઓ માગણી કરી રહ્યા છે કે ફાસ્ટ ફૂડ શૉપમાં ગૅસનો ઉપયોગ બંધ કરવામાં આવે તેમ જ તેઓ શૉપની બહારની સોસાયટીની અંદાજે ૧૦૦ ફૂટ જેટલી જગ્યાનો ગેરકાયદે ઉપયોગ કરે છે એ પણ બંધ કરવામાં આવે અને પ્લૉટ ખાલી કરાવવામાં આવે તો સારું.’
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK