શિવસેના કે BJPને કૉન્ગ્રેસ મદદ નહીં કરે : સંજય નિરુપમ
BMCની ચૂંટણીમાં ૨૨૭ સીટોમાંથી માત્ર ૩૧ સીટો જીતવામાં જ સફળ રહેલી કૉન્ગ્રેસે ગઈ કાલે જાહેર કર્યું હતું કે પાર્ટી BMCમાં શિવસેના અથવા BJPને સત્તા મેળવવા માટે મદદ નહીં કરે.
કૉન્ગ્રેસના મુંબઈ એકમના પ્રમુખ સંજય નિરુપમે માહિતી આપી હતી કે ‘અમે અમારા આદર્શો સાથે સમાધાન નહીં કરીએ. જનતાએ અમને હાર આપી છે અને વિરોધ પક્ષમાં બેસવાનો જનાદેશ આપ્યો છે. અમે આ જનાદેશનું સન્માન કરીએ છીએ. ભગવા પાર્ટીઓએ ખૂબ સંઘર્ષ કર્યો હતો, પરંતુ એમ છતાં મતદારોએ તેમને સત્તાની ચાવી આપી નથી. અમે ઇચ્છીએ છીએ તેમના મતભેદો વકરે અને તેમની વચ્ચે ઝઘડો ચાલુ રહે. આથી જનતાને જાણ થશે કે જે પાર્ટીએ પારદર્શકતાના મુદ્દે મત માગ્યા હતા એ હવે કઈ રીતે કૉપોર્રેટરોને ખરીદી રહી છે.’
BJP પારદર્શકતાના મુદ્દે BMCની ચૂંટણી લડી હતી.