Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > આલ્કોહૉલથી હાથ ધોવાથી કોરોના ભાગે, તો પીવાથી દૂર થશેઃકૉંગ્રેસી ધારાસભ્ય

આલ્કોહૉલથી હાથ ધોવાથી કોરોના ભાગે, તો પીવાથી દૂર થશેઃકૉંગ્રેસી ધારાસભ્ય

02 May, 2020 11:21 AM IST | Mumbai Desk
Agencies

આલ્કોહૉલથી હાથ ધોવાથી કોરોના ભાગે, તો પીવાથી દૂર થશેઃકૉંગ્રેસી ધારાસભ્ય

રાજસ્થાન કૉંગ્રેસ

રાજસ્થાન કૉંગ્રેસ


દેશમાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાની મહામારી વચ્ચે રાજસ્થાનના કૉન્ગ્રેસના ધારાસભ્ય ભરત સિંહ કુંદનપુરે મુખ્ય પ્રધાન અશોક ગેહલોતને પત્ર લખીને દારૂની દુકાનો ખોલવાની અપલી કરી છે, જેને માટે તેમણે દલીલ કરી છે કે કોરોના વાઇરસને આલ્કોહૉલ (સૅનિટાઇઝર)થી ખતમ કરી શકાય છે તો પછી આલ્કોહૉલ પીવાથી નિશ્ચિત રીતે ગળામાંથી વાઇરસને દૂર કરી શકાય છે.

Rajasthan Congress Letter



૩૦ એપ્રિલના આ પત્રમાં કુંદનપુરે દારૂની દુકાનો ખોલવાને કારણે આવક થવાનો પણ તર્ક આપ્યો છે. તેમણે લખ્યું છે કે કોવિડ-19ના લૉકડાઉનને કારણે દારૂની દુકાનો બંધ છે. દારૂ બદનામ છે એથી કેન્દ્ર સરકાર દારૂના વેચાણ પર ક્યારેય છૂટ નહીં આપે. દારૂ નહીં મળવાને કારણે ગેરકાયદે વેચાણ થઈ રહ્યું છે અને એને કારણે સરકારને આવકનું નુકસાન થઈ રહ્યું છે, ત્યાં જ લોકોના આરોગ્યને પણ જોખમ છે.


Whatsapp-channel Whatsapp-channel

02 May, 2020 11:21 AM IST | Mumbai Desk | Agencies

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK