કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ કોરોના સંક્રમિત
શક્તિસિંહ ગોહિલ
રાજ્યસભાના સાંસદ અને બિહાર કોંગ્રેસના પ્રભારી શક્તિસિંહ ગોહિલ (Shakti Singh Gohil) કોરોના વાયરસ (COVID-19)થી સંક્રમિત થયા છે. શક્તિસિંહ ગોહિલનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. આ અંગે તેમણે પોતે ટ્વિટર પર જાણકારી આપી હતી.
કૉંગ્રેસ નેતા શક્તિસિંહે ટ્વિટ કરીને કહ્યું કે, 'આજે મેં મારો કોરોનાનો RT-PCR ટેસ્ટ કરાવ્યો જેમાં કોરોના સંક્રમિત આવ્યો છું. તમારી શુભકામનાઓ સાથે કોરોનાથી પણ લડી લઇશું. ચિંતાની કોઈ વાત નથી'.
ADVERTISEMENT
आज मैंने मेरा कोरोना का RT-PCR टेस्ट करवाया तो मैं कोरोना से संक्रमित पाया गया हूँ । आप सभी की शुभकामना के साथ कोरोना से भी लड लेंगे । कोई चिंता की बात नहीं है । pic.twitter.com/UN1YJiwZpK
— Shaktisinh Gohil (@shaktisinhgohil) November 6, 2020
શક્તિસિંહ ગોહિલ ઉપરાંત ભાજપના દેવેન્દ્ર ફડણવીસ, સુશીલ મોદી, રાજીવ પ્રતાપ રૂડી પણ બિહારની ચૂંટણીઓમાં પ્રચાર દરમિયાન કોરોનાની ચપેટમાં આવી ગયા છે. તેને કારણે તેમણે ચૂંટણી પ્રચારમાં પણ ભાગ નહોતો લીધો.
તમને જણાવી દઈએ કે, બિહારમાં ત્રીજા તબક્કાનું મતદાન શનિવારે છે અને કોંગ્રેસ બિહારની 70 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. આ અગાઉ 2015 માં, કોંગ્રેસે 40 બેઠકો પર 25 બેઠકો જીતી હતી. છેલ્લા તબક્કાના મતદાન પછી 10 નવેમ્બરના રોજ મત ગણતરી કરવામાં આવશે.