Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > સમયસર એમ્બ્યુલન્સ ન આવતાં મુખ્યમંત્રીના નજીકના સ્વજનનું મૃત્યુ

સમયસર એમ્બ્યુલન્સ ન આવતાં મુખ્યમંત્રીના નજીકના સ્વજનનું મૃત્યુ

09 October, 2019 09:35 AM IST | રાજકોટ

સમયસર એમ્બ્યુલન્સ ન આવતાં મુખ્યમંત્રીના નજીકના સ્વજનનું મૃત્યુ

મુખ્યમંત્રી રૂપાણી

મુખ્યમંત્રી રૂપાણી


કટોકટીના સમયે લોકોના જીવ બચાવવા માટે શરૂ કરવામાં આવેલી 108 સેવા સમયસર ન પહોંચવાના કારણે મુખ્યમંત્રીના પિતરાઈ ભાઈનું નિધન થયું છે. 4 ઓક્ટોબરના રોજ રાજકોટના સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર વિસ્તારમાં રહેતા મુખ્યમંત્રી રૂપાણીના માસિયાઈભાઈ અનિલભાઈ સંઘવીને શ્વાસની તકલીફ થતા તેમના પરિવારે એમ્બ્યુલન્સ બોલાવી હતી. જો કે એમ્બ્યુલન્સના ઓપરેટરની ગેરસમજના કારણે તે ઈશ્વરિયા ગામ સુધી પહોંચી ગઈ હતી. જ્યારે એમ્બ્યુલન્સ દર્દી સુધી પહોંચી ત્યારે તેમનું મોત થઈ ગયું હતું.

આ પણ વાંચોઃ ગહલોતમાં હિંમત હોય તો રાજસ્થાનમાં દારૂબંધી કરે: સીએમ વિજય રૂપાણી



પિતરાઈ ભાઈના નિધન બાદ તેમના પરિવારને શાંત્વના આપવા માટે મુખ્યમંત્રી રૂપાણી પહોંચ્યા હતા. અને એ સમયે પરિવાર સાથે વાત કરતા તેમને આ વાતની જાણકારી મળી હતી અને તેમણે કલેક્ટરને આવું કેમ બન્યું તેની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. સાથે ભવિષ્યમાં અન્ય કોઈ વ્યક્તિને આવી પરેશાની ન થાય તેનું ધ્યાન રાખવા પણ સૂચના આપી હતી.


Whatsapp-channel Whatsapp-channel

09 October, 2019 09:35 AM IST | રાજકોટ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK